Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 294 પન્મવકા - 11-391 પાંચ સ્પર્શવાળાં કે વાવતુ આઠસ્પર્શવાળાં ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય ચાર સ્પર્શવાળો ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે શીતસ્પર્શવાળાં ઉણ. સ્પર્શવાળાં, સ્નિગ્ધસ્પર્શવાળાં અને રક્ષસ્પર્શવાળાં ગ્રહણ કરે છે. જે સ્પર્શથી શીત. સ્પર્શવાળાં ગ્રહણ કરે છે તે શું એકગુણ શીતસ્પર્શવાળા કે વાવતુ અનંતગુણ શીત સ્પર્શ વાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ શીતસ્પર્શવાળા કે યાવતુ અનન્તગુણ શીતસ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ દ્રવ્યો સંબંધ જાણવું, યાવ-અનન્તગુણ રુક્ષસ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. હે ભગવનું જે યાવતુ અનન્તગુણા રુક્ષ દ્રવ્યો ગ્રહણ કરે છે તે સ્પષ્ટ-કે અસ્કૃષ્ટ ગ્રહણ કરે છે? હે ગૌતમ સ્પર્શેલાં ગ્રહણ કરે છે, પણ નહિ સ્પર્શેલાં ગ્રહણ કરતો નથી. હે ભગવનું ! જે પૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે તે શું અવગાઢ ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? હે ગૌતમ ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ અનવગાઢ દ્રવ્યો પ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું અનન્તરાવગાઢ કે પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનન્તરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનન્તરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તે અણુ-સૂક્ષ્મ પ્રદેશવાળા ગ્રહણ કરે છે કે બાદર-ઘણા પ્રદેશવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! અણુ-સૂક્ષ્મ પણ ગ્રહણ કરે છે અને બાદર પણ ગ્રહણ કરે છે. હે ભગવન્! જે અણુ-સૂક્ષ્મ કે બાદ૨ દ્રવ્યો ગ્રહણ કરે છે તે ઊર્ધ્વ દિશાથી આવેલાં, અધો દિશાથી આવેલો, કે તિયગુ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! ત્રણે દિશાથી. હે ભગવન્! જે ઊર્ધ્વ, અધો કે તિર્ય દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું આદિમાં (પ્રથમ સમયે), મધ્યમાં કે અન્તમાં (છેલ્લા સમયે) ગ્રહણ કરે છે? હે ગૌતમ! આદિમાં, મધ્યમાં અને અત્તે ગ્રહણ કરે છે. હે ભગવન્! જે આદિમાં, મધ્ય અને અન્ને ગ્રહણ કરે છે તે સ્વ વિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયને ગ્રહણ કરે છે? હે ગૌતમ! વિષયને ગ્રહણ કરે છે, પણ અવિષયને ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્વવિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે આનુપૂર્વી- કે અનાનુપૂર્વી ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનુક્રમે ગ્રહણ કરે છે, પણ ક્રમ સિવાય ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનુક્રમે ગ્રહણ કરે છે તે અવશ્ય છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. [392] પૃષ્ટ, અવગાઢ, અત્તર, ગુણ, બાદર, ઊર્ધ્વ અધો, આદિ, વિષય, આનુપૂર્વી, અવશ્ય છ દિશાઓને આશ્રયી ગ્રહણ દ્રવ્ય ભાષા સંબંધે કહ્યું. [393] હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાન્તર ગ્રહણ કરે છે કે નિરંતર ગ્રહણ કરે છે? હે ગૌતમ ! બંને. સાન્તર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અન્તર કરી ગ્રહણ કરે છે અને નિરન્તર ગ્રહણ કરતો જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમય સુધી પ્રતિસમય નિરંતર ગ્રહણ કરે છે. હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે તે શું સાન્તર કાઢે છે કે નિરંતર કાઢે છે? હે ગૌતમ! સાન્તર બહાર કાઢે છે, પણ નિરન્તર કાઢતો નથી. સાન્તર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ અને નિસરણ-વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિસરણ કરે છે. હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org