Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 256 પન્નવણા-૫-૩૧૮ સ્વરૂપે અને સ્થિતિસ્વરૂપે તુલ્ય છે, પણ અવગાહનારૂપે ચતુઃસ્થાનક પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિવાળા સંબંધે જાણવું. પરંતુ અહીં બે જ્ઞાન અધિક છે હોય છે. મધ્યમ સ્થિતિવાળાને ઉત્કૃષ્ટસ્થિતિવાળાની પેઠે કહેવું. પરન્તુ અહીં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્યકાળા ગુણવાળા બેઈન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો. કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે - હે ગૌતમ! જઘન્યકાળા ગુણવાળો બેઇન્દ્રિય જઘન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે અને પ્રદેશ સ્વરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે છે સ્થાન પ્રાપ્ત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયવડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અચક્ષુદર્શનપર્યાય વડે જ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાગુણવાળા સંબંધે જાણવું. મધ્યકાળા ગુણવાળા સંબંધે એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન પ્રાપ્ત હોય છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબન્ધ કહેવું. હે ભગવન્! જઘન્ય આભિનિબોધિકજ્ઞાનવાળા બેઈન્દ્રિયોને કેટલા પયયો હોય છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે હે ગૌતમ ! જઘન્ય આભિનિ બોધિકજ્ઞાનવાળો બેઈન્દ્રિય જઘન્ય આભિનિબોધિકજ્ઞાનવાળાબેઈન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહના વડે ચરસ્થાન પ્રાપ્ત છે અને સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે જ સ્થાન પ્રાપ્ત છે. આભિનિ બોધિકજ્ઞાન પયયવડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અભિ નિબોધિકજ્ઞાનવાળા સંબધે જાણવું. મધ્યમ આભિનિ બોધિકજ્ઞાનવાળા સંબધે એમ સમજવું. પરન્તુ સ્વસ્થાન- અપેક્ષાએ છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની. શ્રતઅજ્ઞાની અને અચક્ષુદર્શની બેઈન્દ્રિયો જાણવા, પરન્તુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. એમ તેઇન્દ્રિયો સંબંધે પણ જાણવું. ચઉરિન્દ્રિયને પણ એમ જ સમજવું. પરન્તુ ત્યાં ચક્ષુદર્શન અધિક કહેવું. 319] હે ભગવન્જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, પરંતુ સ્થિતિવડે ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયવડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનવડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સંબંધે જાણવું. પરન્તુ તે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પ્રાપ્ત હોય છે. જેમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે કહ્યું તેમ મધ્યમઅવગાહનાવાળા સંબંધે કહેવું. પરંતુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યસ્થિ તિવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહ નારૂપે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પશપર્યાય વડે તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org