Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) દષ્ટિ– મિથ્યા, (૪) જ્ઞાનાજ્ઞાન-૨ અજ્ઞાન (૫) સમુદ્યાત-૩ (૬) આયુષ્ય-અંતર્મુહૂર્ત (૭) અધ્યવસાય- પ્રશસ્ત (૮) અનુબંધ-આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં-૨ નાણત્તા થાય છે– (૧) આયુષ્ય- ક્રોડપૂર્વ વર્ષ (૨) અનુબંધ-આયુષ્ય પ્રમાણે.
યુગલિક તિર્યંચ વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે ૫ નાણા થાય છે. જઘન્ય ગમકમાં–૩: (૧) અવગાહના- જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ સાધિક 1000 યોજન (૨) આયુષ્ય- સાધિક ક્રોડપૂર્વ (૩) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં–૨: (૧) આયુષ્ય- ત્રણ પલ્યોપમ (૨) અનુબંધઆયુષ્ય પ્રમાણે, અવગાહના પ્રથમ ગમકની સમાન સર્વે ય પ્રકારની હોય છે. તેથી તેનો નાણત્તો નથી. મનુષ્યોની વાણવ્યંતર દેવોમાં ઉત્પત્તિ - |६ जइणं भंते ! मणुस्सेहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! असंखेज्जावासाउयाणं जहेव णागकुमाराणं उद्देसे तहेव वत्तव्वया। णवरं-तइयगमए ठिई जहण्णेणं पलिओवम, उक्कोसेणं तिण्णि पलिओवमाई ओगाहणा जहण्णेणंगाउयं, उक्कोसेणं तिण्णि गाउयाई, सेसंतहेव । संवेहो से जहा एत्थ चेव उद्देसए असंखेज्ज-वासाउयसण्णिपंचिंदियाणं ।
संखेज्जवासाउय सण्णिमणुस्से जहेव णागकुमारुद्देसए, णवरं-वाणमंतरे ठिई संवेहं च जाणेज्जा। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે વાણવ્યંતર દેવો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોની વકતવ્યતા નાગકુમાર ઉદ્દેશકના અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોની સમાન છે. ત્રીજા ગમકમાં સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. અવગાહના જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. શેષ પૂર્વવતુ છે. કાય સંવેધ–આ જ ઉદ્દેશકમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું કથન કર્યું છે, તે પ્રમાણે જાણવું.
સંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યના વિષયમાં નાગકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. પરંતુ સ્થિતિ અને કાલાદેશ વાણવ્યંતરનો ઉપયોગ પૂર્વક જાણવો. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સુત્રમાં સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા બંને પ્રકારના મનુષ્યોની વાણવ્યંતરદેવમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા કરી છે.
સંમૂર્છાિમ મનુષ્યો દેવગતિમાં જતા નથી. કર્મભૂમિના સંજ્ઞી મનુષ્ય અને યુગલિક મનુષ્યો વાણવ્યંતરદેવમાં સ્થાનાનુસાર જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
યુગલિક મનુષ્યો વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે નવ ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. તેની ઋદ્ધિનું કથન નાગકુમારમાં જેમ કર્યું છે, તેમજ અહીં પણ કરવું પરંતુ યુગલિક મનુષ્ય ત્રીજા ગમકથી