Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-ર૫: ઉદ્દેશ૪-૭
[ ૩૫૭ |
શતક-રપઃ ઉદ્દેશક-૭ | RRORળ સંક્ષિપ્ત સાર છROROR
આ ઉદ્દેશકમાં ૩૬ દ્વારના માધ્યમથી પાંચ પ્રકારના ચારિત્રનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત પ્રતિસેવના આલોચના, સમાચારી, પ્રાયશ્ચિત્ત અને તપના ભેદ-પ્રભેદ આદિ શ્રમણોપયોગી વિષયોનું નિરૂપણ છે. ચારિત્ર:- વરિત્તરં વારિત્ત = કર્મ ક્ષય કરવાનું પ્રમુખ સાધન તે ચારિત્ર અર્થાતુ સંયમ અને તપની સાધના માટે જે સર્વ-વિરતિ ધર્મનો સ્વીકાર કરવામાં આવે, તેને ચારિત્ર કહેવાય છે. જીવન પર્યંત અશુભ ક્રિયાથી નિવૃત્ત થઈને શુભ ક્રિયામાં પ્રવૃત્ત થવું તે ચારિત્ર કહેવાય છે.
ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની ન્યૂનાધિકતાથી અને કલ્પ-અકલ્પની વિવિધતાથી ચારિત્રના પાંચ ભેદ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર. પ્રતિસેવના :- સંયમી જીવનથી પ્રતિકૂળ આચરણને, સંયમમાં થતાં દોષસેવનને પ્રતિસેવના કહે છે. તેના બે ભેદ છે. મુળગુણ પ્રતિસેવના અને ઉત્તરગુણ પ્રતિસેવના. પ્રતિસેવનાના કારણની અપેક્ષાએ તેના દશ ભેદ થાય છે. આલોચનાઃ- પોતાના દોષોને સમ્યક પ્રકારે જોવા, ગુરુ સમક્ષ તેને યથાર્થ રૂપે પ્રગટ કરવા, તેને આલોચના કહે છે. પરંતુ સાધક ક્યારેક ભય, લજ્જા, કે માયા કપટના કારણે આલોચના કરવા છતાં યથાર્થ રીતે આલોચના કરી શકતા નથી. તે દોષયુક્ત આલોચના કરે છે; સૂત્રકારે આલોચનાના દશ દોષ, આલોચના કરનારના દશ ગુણ અને આલોચના સાંભળનારના આઠ ગુણોનું કથન કર્યું છે. સમાચારી - ગુરુકુળવાસી સાધુ જીવનના સમ્યક આચરણ–વ્યવહારને સમાચારી કહે છે. તેના દશ પ્રકાર છે– (૧) ઇચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (૪) આવશ્યકી (૫) નૈષેલિકી (૬) આપૃચ્છના (૭) પ્રતિપૃચ્છના (૮) છંદના (૯) નિમંત્રણા (૧૦) ઉપસંપદા. પ્રાયશ્ચિત્તના દશ ભેદ - ગુરુ સમક્ષ પાપનું પશ્વાતાપ કરીને તેના દંડનો સ્વીકાર કરવો, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. દોષની તીવ્રતા મંદતાના આધારે પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે. તપ - આત્મશુદ્ધિના લક્ષ્યપુર્વક શરીર અને કર્મને તપાવવા માટે જે જે અનુષ્ઠાનો કરાય. તેને તપ કહે છે. તેના મુખ્ય બે ભેદ છે. બાહ્યતા અને આત્યંતર તપ. બાહ્યતપ – જેનો સંબંધ મુખ્યતયા શરીર સાથે છે, જેનું આચરણ કરનાર લોકમાં તપસ્વી કહેવાય છે તેને બાહ્યતપ કહે છે. તેના છ ભેદ છે. (૧) અનશન- ત્રણ અથવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે અનશન છે. (૨) ઉણોદરીભોજનાદિનું તથા રાગ-દ્વેષાદિ કલુષિત પરિણામોનું પ્રમાણ ઘટાડવું તે ઉણોદરી તપ છે. (૩) ભિક્ષાચર્યાવિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક ભિક્ષા માટે જવું. તેમાં વૃત્તિનો સંક્ષેપ થાય છે. તેથી તેને વૃત્તિ સંક્ષેપ પણ કહે છે. (૪) રસપરિત્યાગ– ઘી, તેલ આદિ રસયુક્ત ભોજનનો ત્યાગ કરવો, તે રસ પરિત્યાગ છે. (૫)