Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૬: ઉદ્દેશક–૧૧.
|| ૪૮૧ |
અબંધક થાય છે. તે સમયે જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ ચાલુ હોય છે, તેના અબંધક થતા નથી. તેથી સકષાયી અવસ્થામાં જ્ઞાનાવરણીય આદિ પાંચ કર્મોના બંધમાં ત્રીજો ભંગ ઘટિત થતો નથી અને અહીં અચરમ જીવોનો કથન હોવાથી ચોથો ભંગ પણ સંભવિત નથી.
વેદનીય કર્મમાં સર્વત્ર પહેલો અને બીજો ભંગ જ હોય છે. તેમાં ત્રીજો ભંગ શક્ય નથી. કારણ કે વેદનીય કર્મના અબંધક થયા પછી પુનઃ કોઈ બંધક થતા નથી. તેથી તેમાં– બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે; આ ત્રીજો ભંગ થતો નથી અને ચોથો ભંગ અચરમ જીવોને હોતો જ નથી. અચરમમાં આયુષ્યબંધ :- અચરમ જીવો સંસાર પરિભ્રમણ કરવાના જ છે તેથી તે જીવો આયુષ્યના અબંધકાલમાં આયુષ્ય બાંધતા નથી પરંતુ ભવિષ્યમાં તે અવશ્ય આયુષ્ય બંધ કરવાના જ છે. તેથી તે જીવોને પ્રાપ્ત સર્વ બોલોમાં બીજો અને ચોથો ભંગ હોતો નથી, માત્ર પહેલો અને ત્રીજો બે ભંગ હોય છે. નારક અને દેવોમાં મિશ્ર દષ્ટિમાં આયુષ્ય બંધ ન હોવાથી ત્રીજો ભંગ હોય છે અને શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. પૃથ્વી-પાણી-વનસ્પતિમાં તેજો લેશ્યામાં આયુષ્ય બંધ થતો ન હોવાથી ત્રીજો ભંગ છે અને શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. તેઉવાયુમાં સર્વત્ર પહેલો અને ત્રીજો ભંગ હોય છે. ત્રણ વિકસેન્દ્રિયમાં સમ્યગુ દષ્ટિ, મતિ, શ્રુત જ્ઞાન અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે ત્યારે આયુષ્ય બંધ થતો નથી, તેથી તેમાં એક ત્રીજો ભંગ હોય છે. શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં મિશ્ર દષ્ટિમાં ત્રીજો ભંગ અને શેષ બોલમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. મનુષ્ય- મિશ્ર દષ્ટિ, અવેદી, અકષાયી જીવોમાં ત્રીજો ભંગ, શેષ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. ૨૪ દંડકના અચરમ જીવોને પ્રાપ્ત થતા બોલ અને કર્મબંધના ભંગઃ - | કર્મ | જીવન
બોલ–વિવરણ
ભંગ પાપકર્મ અને મોહકર્મ | મનુષ્ય ૨૦-જીવ, સલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમ્યગ્દષ્ટિ |૧,૨,૩
સમુચ્ચય જ્ઞાન, પ્રથમ ચાર જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, સકષાયી, લોભ કષાયી, સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી સાકારોપયોગી–અનાકારોપયોગી 1-અકષાયી
ત્રીજો ૩–અલેશી, અયોગી, કેવળજ્ઞાની, આ ત્રણ બોલ નથી |x ૨૩–૫ લેશ્યા, કૃષ્ણપક્ષ, મિથ્યાષ્ટિ, ચાર અજ્ઞાન, |
ચાર સંજ્ઞા, ચાર વેદ, ક્રોધ, માન, માયા, મિશ્રદષ્ટિ ૨૩ દંડકમાં | યથાયોગ્ય બોલ માં
૧,૨ જ્ઞાનાવરણીય, મનુષ્ય ૧૮-ઉપરોક્ત ૨૦માંથી સકષાયી અને લોભ કષાયી ૧,૨,૩ દર્શનાવરણીય, નામ,
બે બોલ છોડીને ગોત્ર અને અંતરાય
૧-અકષાયી ૫ કર્મ
| ૩–અલેશી, અયોગી, કેવળજ્ઞાની–ત્રણ બોલ નથી ૨૫-શેષ બોલ
- - | ૨૩ દંડક | યથાયોગ્ય બોલમાં
|
IT |
| |
| | કિI | | જ
|
| ન