Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૬
.
૪૪૩
|
શતક-ર૬
|
ROR ORળ પરિચય છRછROR
આ શતકના સર્વ ઉદ્દેશકોમાં કર્મબંધ સંબંધી નિરૂપણ હોવાથી તેનું નામ બંધી શતક છે. તેમાં વિવિધ અપેક્ષાએ વિવિધ વિકલ્પોથી કર્મબંધને સમજાવ્યો છે. પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો, તે ૨૫ સ્થાનના જીવોમાં ૧૧ દ્વાર અને તેના ૪૭ બોલના માધ્યમથી પાપકર્મબંધ અને આઠ કર્મ બંધ તથા અબંધનું ચાર ભંગથી નિરૂપણ છે. બીજા ઉદેશકમાં ૨૪ દંડકના અનંતરોત્પન્નક જીવોમાં ૪૭ બોલના માધ્યમથી પાપકર્મ બંધ અને આઠકર્મ બંધ-અબંધનું પ્રતિપાદન છે. ત્રીજા ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક જીવોમાં કર્મબંધ-અબંધનું કથન છે. ચોથા ઉદ્દેશકમાં અનંતરાવગાઢ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. પાંચમા ઉદ્દેશકમાં પરંપરાવગાઢ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. છઠ્ઠા ઉદ્દેશકમાં અનંતરાહારક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. સાતમા ઉદ્દેશકમાં પરંપરાહારક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. આઠમા ઉદ્દેશકમાં અનંતર પર્યાપ્તક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. નવમા ઉદેશકમાં પરંપર પર્યાપ્તક જીવોમાં કર્મબંધાદિનું કથન છે. દશમા ઉદશકમાં ચરમ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. અગિયારમા ઉદ્દેશકમાં અચરમ જીવોમાં કર્મબંધાદિનું કથન છે. પહેલા અને બીજા ઉદ્દેશકમાં વિસ્તૃત વર્ણન છે અને ત્યાર પછીના ઉદ્દેશકોમાં અતિદેશાત્મક સંક્ષિપ્ત કથન છે. ચોથા, છઠ્ઠા અને આઠમા ઉદ્દેશકમાં અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તક જીવોનું કથન છે, તે ઉદ્દેશક–રમાં કથિત અનંતરોત્પન્નક જીવોની સમાન છે અને ત્રીજા, પાંચમા, સાતમા અને નવમા ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્તકનું કથન તથા દશમા ઉદ્દેશકમાં ચરમ અને અગિયારમા ઉદ્દેશકમાં અચરમ જીવોનું કથન પ્રાયઃ ઉદ્દેશક–૧માં કથિત ઔધિક જીવોની સમાન છે. આ રીતે આ શતકમાં કર્મબંધનું વિસ્તૃત વિશ્લેષણ પ્રાપ્ત થાય છે.