Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૧૩]
વિવેચન :
લિંગના બે ભેદ છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ. દ્રવ્યલિંગ :- બાહ્યવેષ. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. (૧) સ્વલિંગ– જૈન સાધુનો વેષ ધારણ કરવો. (૨) અન્યલિંગ– અન્યમતાવલંબી સાધુ-સંન્યાસીનો વેષ ધારણ કરવો. (૩) ગૃહસ્થલિંગ- ગૃહસ્થ વેષમાં રહેવું.
પુલાક આદિ છ એ નિયંઠા આ ત્રણમાંથી કોઈ પણ દ્રવ્ય લિંગમાં હોય છે. કારણ કે કોઈપણ નિગ્રંથ વિશિષ્ટ આપવાદિક પરિસ્થિતિમાં અલ્પકાલ માટે ગૃહસ્થલિંગ કે અન્યલિંગને ધારણ કરી શકે છે. તે અપેક્ષાએ પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ અન્યલિંગ કે ગૃહસ્થલિંગમાં હોય શકે છે. શેષ કષાય કુશીલ આદિ ત્રણ નિયંઠા ગૃહસ્થલિંગ અને અન્ય લિંગથી સિદ્ધ થનાર જીવોમાં સ્વાભાવિક રીતે પણ હોય છે. ભાવલિંગઃ- સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરવું તે ભાવલિંગ છે. ભાવલિંગની અપેક્ષાએ સર્વ નિયંઠા સ્વલિંગમાં જ હોય છે. અન્યલિંગ કે ગૃહસ્થલિંગના ભાવોમાં નિગ્રંથપણું હોતું નથી. નિગ્રંથોમાં લિંગઃનિગ્રંથો દ્રવ્યલિંગ
ભાવલિંગ અન્યલિંગ | ગૃહસ્થલિંગ સ્વલિંગ
સ્વલિંગ છ પ્રકારના નિગ્રંથો (૧૦) શરીર દ્વાર :४६ पुलाए णं भंते ! कइसुसरीरेसु होज्जा? गोयमा ! तिसु, ओरालियतेया-कम्मएसु
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મુલાકને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! દારિક, તૈજસ અને કાશ્મણ, આ ત્રણ શરીર હોય છે. ४७ बउसेणं भंते ! पुच्छा? गोयमा ! तिसुवा चउसु वा होज्जा, तिसुहोमाणे तिसु ओरालियतेया-कम्मएसुहोज्जा, चउसुहोमाणे चउसु ओरालियवेउव्वियतेया-कम्मएसु होज्जा । एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! બકુશને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! બકુશને ત્રણ અથવા ચાર શરીર હોય છે. જો ત્રણ શરીર હોય તો દારિક, તૈજસ અને કાર્પણ શરીર હોય છે અને ચાર શરીર હોય, તો દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ શરીર હોય છે. આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા.
४८ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा ! तिसुवा चउसुवा पंचसुवा होज्जा। तिसुहोमाणे तिसुओरालियतेया-कम्मएसुहोज्जा, चउसुहोमाणेचउसुओरालियवेउव्विय तेया-कम्मएसुहोज्जा, पंचसुहोमाणे पंचसुओरालियवेउव्विय आहारगतेया-कम्मएसु होज्जा। णियंठो सिणाओ य जहा पुलाओ।