Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
૨૬૯
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ કેટલા કાલ સુધી નિષ્કપ રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી નિષ્કપ રહે છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું. |९३ परमाणुपोग्गला णं भंते ! सेया कालओ केवचिरं होति ? गोयमा ! सव्वद्धं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક પરમાણુ પુદ્ગલો કેટલા કાલ સુધી સકંપ રહે છે? ઉત્તર- હે ગૌતમ! સકંપ પરમાણુ યુગલો સદાકાલ શાશ્વત રહે છે. |९४ परमाणुपोग्गला णं भंते ! णिरेया कालओ केवचिरं होति? गोयमा ! सव्वद्ध । एवं जावअणतपएसिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક પરમાણુ પુદગલો કેટલા કાલ સુધી નિષ્કપ રહે છે? ઉત્તર- હે ગૌતમ ! નિષ્કપ પરમાણુ પુદ્ગલો સદાકાલ શાશ્વત રહે છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્વતના સ્કંધો સદાકાલ શાશ્વત રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ અને સ્કંધોમાં સકંપ અને નિષ્કપ અવસ્થા અને તેની સ્થિતિનું કથન કર્યું છે. - ણિક - સકંપ અને નિષ્કપ. પરમાણુ પુદગલ કે ઢિપ્રદેશથી લઇને અનંત પ્રદેશી સુધીના સ્કંધ જ્યારે સ્વાભાવિક રૂપે ચલનાદિ ક્રિયાથી રહિત હોય છે ત્યારે તે નિષ્કપ કહેવાય છે પરંતુ ક્યારેક તેમાં ચલનાદિ ક્રિયા થાય છે ત્યારે તે સકંપ બને છે. સ્વાભાવિક રીતે જ સ્કંધોમાં નિષ્કપતાની સ્થિતિ દીર્ઘકાલીન હોય અને સકંપતાની સ્થિતિ અલ્પકાલીન હોય છે. સકપતાની સ્થિતિ:- એક પરમાણુ કે કોઈ પણ એક સ્કંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત કંપિત થાય છે. ત્યાર પછી અવશ્ય તે નિષ્કપ બની જાય છે. નિષ્કપતાની સ્થિતિ - એક પરમાણુ કે કોઈ પણ એક સ્કંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાલ પર્યત નિષ્કપ રહે છે. ત્યાર પછી અવશ્ય તેમાં કોઈ પણ પ્રકારે ચલન ક્રિયા થતા તે સકંપ થઈ જાય છે.
અનેક પરમાણુઓ અને અનેકઢિપ્રદેશી આદિ સ્કંધો, સકંપ અને નિષ્કપ બંને અવસ્થાવાળા સદાકાલ પ્રાપ્ત થાય છે. કારણ કે લોકના અનંતાનંત પરમાણુ કે સ્કંધોમાં કેટલાક પરમાણુ અને કેટલાક સ્કંધો નિષ્કપ અને કેટલાક સકંપ હોય જ છે. સકપ-નિષ્કપ પરમાણુ આદિનું અંતર - ९५ परमाणुपोग्गलस्सणं भंते ! सेयस्स केवइयंकालं अंतरंहोइ ? गोयमा !सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं असंखेज्जकालं, परद्धाणंतरं पडुच्च जहण्णेण एक्कं समय, उक्कोसेणं असंखेजकालं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સકંપ પરમાણુનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ અને પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય છે.