Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તિદિશા. આ ત્રણ દિશાઓમાંથી જ જીવાનું ગમન થાય છે. નામાદ્વિકના ભેદથી દિશાના સાત પ્રકાર પણ પડે છે-(૧) નાદિશા, (૨) સ્થાપના દિશા, (૩) દ્રવ્યદિશા, (૪) ક્ષેત્રપિદશા, (૫) તાપક્ષેત્ર, (૯) પ્રજ્ઞાપના અને (૭) ભાવદિશા. તેમાંની ભાવદિશાના ૧૮ પ્રકાર છે. નામક્રિશા અને સ્થાપના દિશા, આ બન્ને દિશાએ પ્રસિદ્ધ છે. પુદ્ગલ સ્કન્ધ આદિની જે દિશા તેને દ્રવ્યદિશા કહે છે. આકાશની જે દિશા છે તેને ક્ષેત્રક્રિશા કહે છે, આ ક્ષેત્રદિશાની પ્રવૃત્તિ તિય ગ્લાકના મધ્યમાગમાં સ્થિત ( રહેલા ) જે આઠ રુચક પ્રદેશ છે ત્યાંથી થાય છે. કહ્યું પણ છે કે-“ અટ્ઠષણો થવો ” ઈત્યાદિ.
""
આ કથનના ભાવાર્થ એ છે કે-તિગ્લેાકની મધ્યમાં આઠ રુચક પ્રદેશ છે, તે રુચક પ્રદેશે જ દિશાએ અને અનુદિશાઓના કારણરૂપ છે, દસ દિશાઓનાં નામ નીચે પ્રમાણે છે-“ ફંોથી નમાય ઈત્યાદિ. (૧) એદ્રી અથવા પૂર્વદિશા, (૨) આગ્નેયી અથવા અગ્નિકાણુ, (૩) યામ્યા અથવા દક્ષિણ દિશા, (૪) નૈઋતિ અથવા નૈઋત્યકાણુ, (૫) વાણિ અથવા પશ્ચિમ દિશા, (૬) વાયવ્યકાણુ, (૭) સૌમ્યા અથવા ઉત્તર દિશા, (૮) ઐશાની અથવા ઈશાન કાણુ, (૯) વિમલા અથવા દિશા અને (૧૦) તમા અથવા અધા દિશા. સૂર્ય વડે ઉપલક્ષિત જે ક્ષેત્રદિશા છે, તેને તાપક્ષેત્રક્રિશા કહે છે તે નિયત હૈાય છે. કહ્યું પણ છે કે- નેäિ ન ત્તો ” ઇત્યાદિ—
અહીં પ્રદક્ષિણા શબ્દ દ્વારા દક્ષિણાવત ભ્રમણ ગૃહીત કરાયું છે. પ્રજ્ઞાપક-આચાય આદિની જે દિશા છે, તેનું નામ પ્રજ્ઞાપકદિક્ છે. તે આ પ્રમાણે છે “વન્નવો”ઇત્યાદિ. (૧) પૃથ્વી, (ર) જલ, (૩) જવલન, (૪) વાયુ, (૫) મૂલખીજ, (૬) સ્કન્ધખીજ, (૭) અત્રીજ, (૮) પબીજ, (૯) દ્વીન્દ્રિય, (૧૦) શ્રીન્દ્રિય, (૧૧) ચતુરિ ન્દ્રિય, (૧૨) પચેન્દ્રિય તિય ચ, (૧૩) નારક, (૧૪) દેવ, (૧૫) સ’મૂર્ચ્છિમ, (૧૬) કમ ભૂમિજ, (૧૭) અકમ ભૂમિજ અને (૧૮) અન્તરદ્વીપ૪. આ પ્રકારના ભેઢોથી ભાવદિશા ૧૮ પ્રકારની છે. અહીં ક્ષેત્રર્દિશા, તાપદિશા અને પ્રજ્ઞાપક દિશાના જ અધિકાર છે. અહીં તિય ગૂ ગ્રહણુ દ્વારા પૂર્વાદિ ચાર દિશાઓને જ ગ્રહણ કરવામાં આવી છે, વિદિશાઓને ગ્રણ કરવામાં આવેલ નથી, કારણ કે જીવેની ગતિ આકાશના પ્રદેશોની પંક્તિ અનુસાર જ થાય છે. તે કારણે તેમની ગતિ, આતિ અને વ્યુત્ક્રાન્તિ ( ઉત્પત્તિ ) આ બધું વિદિશાઓને અનુસાર થતું નથી, એ જ કારણે માકીનાં પદોમાં વિદિશાઓના ઉલ્લેખ થયા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦