Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ટ્ટિી” દર્શનનું નામ દૃષ્ટિ છે. એટલે કે ચક્ષુની સહાયતાથી જે જ્ઞાન થાય છે તેનું નામ દૃષ્ટિ છે. અથવા જુદા જુદા નયને જે મત હોય છે તેને દષ્ટિ કહે છે. આ દૃષ્ટિને અનુલક્ષીને પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે. (૧) ઉન્નત ઉન્નત દૃષ્ટિવાળ, (૨) ઉન્નત પ્રણત દષ્ટિવાળ, (૩) પ્રણત ઉન્નત દષ્ટિવાળો અને (૪) પ્રણત પ્રણત દષ્ટિવાળે. આ ચાર પ્રકારનો ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કેઈ પુરુષ જાતિ આદિની અપેક્ષાએ પણ ઉન્નત હોય છે અને ઉન્નત દૃષ્ટિવાળો પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉન્નત હોવા છતાં પ્રભુત દૃષ્ટિવાળો હોય છે. (૩) કે પુરુષ પ્રણત હોવા છતાં ઉન્નત દૃષ્ટિવાળે હોય છે. (૪) કોઈ પ્રણત પણ હોય છે અને પ્રણત દષ્ટિવાળે પણ હોય છે.
ક્રિયાની અપેક્ષાએ ત્રણ સૂત્ર આ પ્રમાણે છે – * સીયારા ઈત્યાદિ–શીલ એટલે સમાધિ. સમાધિ ચિત્તની સ્વસ્થતા રૂપ પણ હોય છે. અથવા-સદુવૃત્તિ અથવા સ્વભાવનું નામ પણું શીલ છે. તે શીલને જે આચાર (અનુષ્ઠાન) છે, તેનું નામ શીલાચાર છે. અથવા “શીન આવારઃ” આ પ્રમાણે તૃતીયા તપુરુષ સમાસ ગણીને શીલાચારને આ પ્રમાણે પણ અર્થ થાય છે–“સ્વભાવતઃ ” જે આચાર છે તેને શીલાચાર કહે છે.” આ શીલાચારની અપેક્ષાએ પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે. (૧) કે પુરુષ ઉન્નત પણ હોય છે અને ઉન્નત શીલાચારવાળા પણ હોય. છે. (૨) કે પુરુષ ઉનત હોવા છતાં પણ પ્રણત શીલાચારવાળે હોય છે. (૩) કઈ પ્રણત હોવા છતાં પણ ઉન્નત પ્રણત શીલાચારવાળો હોય છે. (૪) કે ઈ પ્રણત પણ હોય છે અને પ્રણત શીલાચારવાળે પણ હોય છે. ૧૧
વવારઃ ” ઈત્યાદિ–વર્તમાન આચરણનું નામ વ્યવહાર છે. તે વ્યવહાર અનેક પ્રકારનો હોય છે. તે વ્યવહારની અપેક્ષાએ પણ નીચે પ્રમાણે ચાર ભાંગ બને છે-(૧) કેઈ જીવ ઉનત પણ હોય છે અને ઉનત વ્યવહારવાળો પણ હોય છે. (૨) કઈ પુરુષ ઉન્નત હોવા છતાં પણ પ્રભુત વ્યવહારવાળો હોય છે. (૩) કઈ પ્રવૃત હોવા છતાં પણ ઉન્નત વ્યવહારવાળે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫ ૩