Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવયુક્ત, આ સૂત્રમાં જે આર્ય કહેવામાં આવેલ છે તે નવ પ્રકારના સમ જવા. જેમકે-લે-ના-ગુરુ-૪” ઈત્યાદિ--(૧) ક્ષેત્રાર્ય, (૨) જાત્યાય, (૩) કુલાર્ય, (૪) કર્માર્ય, (૫) શિલ્પાર્ય, (૬) ભાષાય, (૭) જ્ઞાનાર્ય, (૮) ચારિત્રાય અને (૯) દર્શનાર્ય. એ રીતે દર્શનશાસ્ત્રમાં આર્ય નવ પ્રકારનાં કહ્યા છે. શક, યવન અને ખસ આદિને સ્વેચ્છ, અનાર્ય કહ્યા છે. જે ક્ષેત્રાય હોય છે તે પાપ રહિત (વિશુદ્ધ) હોય છે અને ક્ષાયિક આદિ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે, અને ક્રોધાદિક જે અનાર્યભાવ છે તેનાથી પણ કલુષિત હોય છે, બાકીનું કથન સુગમ છે. આ કથનને સંક્ષિપ્ત ભાવાર્થ નીચે પ્રમાણે છે-ક્ષાયિક આદિ જ્ઞાનાદિ ભાવેથી યુક્ત પુરુષને આર્યભાવ યુક્ત કહ્યો છે, અને ક્રોધાદિથી કલુષિત ભાવયુક્ત પુરુષને અનાર્ય ભાવયુક્ત કહ્યો છે. આ રીતે આ શોને સમજવાથી આર્ય-અનાર્ય આદિ ચારે ભાંગા સરળતાથી સમજી શકાય છે. સૂ. ૪૧
વૃષભ કે દ્રષ્ટાંત સે પુરૂષકે સ્વરૂપના નિરૂપણ
હવે સૂત્રકાર વૃષભના દષ્ટાન્ડ દ્વારા દર્શાન્તિક પુરુષજાતનું નિરૂપણ કરે છે.
વત્તા િરણમા પvળા” ઈત્યાદિસૂવાથ–વૃષભ (બળદ) ચાર પ્રકારના કહ્યા છે–-(૧) જાતિ સંપન્ન, (૨) કુલ સંપન્ન, (૩) બલ સંપન્ન, (૪) રૂપ સંપન્ન. એ જ પ્રમાણે પુરુષના પણ જાતિ સંપન્ન આદિ ચાર પ્રકાર કહ્યા છે.
વૃષભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) જાતિ સંપન્ન, નો કુલ સંપન્ન, (૨) કુલ સંપન્ન ન જાતિ સંપન્ન, (૩) જાતિ સંપન્ન-કુલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૪૨