Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન વિશેષરૂપ હોય છે. હવે તેના ચાર ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્ઞાન સંબંધી અતિચારોનું વિશેધન કરવું તેનું નામ જ્ઞાન પ્રાયશ્ચિત્ત છે. દર્શન સંબંધી અતિચારેનું વિશેધન કરવું તેનું નામ દર્શનપ્રાયશ્ચિત્ત છે ચારિત્રવિષયક અતિચારોનું વિશોધન કરવું તેનું નામ ચારિત્ર પ્રાયશ્ચિત્ત છે.
“વિચત્તપિત્તિ ” ઈત્યાદિ–ગીતાર્થ ગુલાઘવની પર્યાચના કરીને જે કંઈ પ્રાયશ્ચિત્ત દે છે, તે પાપવિશોધક જ હોય છે. એવું તે પ્રાયશ્ચિત્ત વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત છે, કારણ કે વ્યક્ત નામ ગીતાર્થનું છે, તેમના દ્વારા જે કરણીય હોય છે તેનું નામ કૃત્ય છે. આ વ્યક્તકૃત્ય રૂપ જે પ્રાયશ્ચિત્ત છે, તેને વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત કહે છે.
અકૃત્યનું સેવન કરવું તેનું નામ પ્રતિસેવના છે. તે પ્રતિસેવનાને દૂર કરવા માટેની જે શાસ્ત્રીય પ્રતિક્રિયા છે તેનું નામ પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તના આલેચના આદિ ૧૦ પ્રકાર છે. કહ્યું પણ છે કે
આઝોન કિન્નમળે” ઇત્યાદિ. સંજના પ્રાયશ્ચિત્ત–એક જાતીય અતિચારને સગ તેનું નામ સંજના છે. જેમકે શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં આવે તે અતિચાર લાગે અને એ જ શય્યાતરપિંડ ભીના હાથે અપાયો હોય તે તેથી પણ અતિચાર લાગે. અભ્યાહુત પિંડ ગ્રહણ કરવામાં આવે અને તે પણ આધા કર્મ દેષયુક્ત હોય તે ત્યાં પણ એક જાતના અતિચારોનું સર્જન થયું ગણાય. તેની વિશુદ્ધિ નિમિત્ત જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તેને સજના પ્રાયશ્ચિત્ત કહે છે.
આપણું પ્રાયશ્ચિત્ત ” એક જ જાતના અપરાધનું વારંવાર આસેવન થવાથી વિજાતીય પ્રાયશ્ચિત્તનું અધ્યારોપણ કરવું તેનું નામ આરોપણું પ્રાયશ્ચિત્ત છે. એટલે કે દેષ માટે પહેલાં અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે, અને ફરીથી એ જ દેષનું આસેવન કરવામાં આવે તે બીજી જાતનું પ્રાયશ્ચિત્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨