Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિસલીન ઔર અમતિસલીનકા નિરૂપણ
ચોથા સ્થાનકને બીજો ઉદ્દેશક– ચતુસ્થાનના પહેલા ઉદ્દેશાની પ્રરૂપણા પૂરી થઈ. હવે સૂત્રકાર બીજા ઉદેશાની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. પહેલા ઉદ્દેશા સાથે આ ઉદેશાને આ પ્રકારને સંબંધ છે-પહેલા ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય અને તેમની પર્યાનું ચાર
સ્થાનકની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવ્યું છે આ ઉદ્દેશામાં પણ તેમનું જ ચાર ચાર સ્થાનકેને આધારે નિરૂપણ કરવામાં આવશે પૂર્વસૂત્ર સાથે અહીં આ પ્રકારને સંબંધ છે–પહેલા સૂત્રમાં પ્રજ્ઞપ્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. તે પ્રજ્ઞપ્તિઓ પ્રતિસંલીને દ્વારા જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર પ્રતિસલીનેનું તથા તેમનાથી વિપરીત એવાં અપ્રતિસલીનું ચાર સૂત્રો દ્વારા નિરૂપણ કરે છે. “વારિ વહિiઢીના પત્તા” ઈત્યાદિ
ચાર પ્રકારના પ્રતિસલીને કહ્યા છે–(૧) કોઇ પ્રતિસલીન, (૨) માન પ્રતિસંલીન, (૩) માયા પ્રતિસંલીન અને (૪) લેભ પ્રતિસંલીન, એ જ પ્રમાણે ચાર પ્રકારના અપ્રતિસંલીને કહ્યા છે-(૧) કોઇ અપ્રતિસલીન, (૨) માન અપ્રતિસલીન, (૩) માયા અપ્રતિસલીન અને (૪) લેભ અપ્રતિસંલીન. આ પ્રકારે પણ ચાર પ્રતિસલીન કહ્યા છે–(૧) મનઃ પ્રતિસંલીન, (૨) વાકુ પ્રતિસંલીન, (૩) કાય પ્રતિસંલીન અને (૪) ઈન્દ્રિય પ્રતિસંલીન. એ જ પ્રમાણે ચાર પ્રકારના અસંલીને નીચે પ્રમાણે કહ્યા છે–(૧) મનઃ અપ્રતિસંલીન આદિ ઈન્દ્રિય અપ્રતિસલીન પર્યન્તના ચાર પ્રકારે સમજવા.
ટીકાઈએક વસ્તુ પ્રત્યેથી આત્માને વાળી લેનારને પ્રતિસંસીન કહે છે. જે માણસ ઉદિત થયેલા ક્રોધને વિફલ કરી નાખે છે અથવા તેના ઉદયને નિરોધ કરી નાખે છે તેને કોઈ પ્રતિસંલીન કહે છે કહ્યું પણ છે કે
વાવનિરોણો ઈત્યાદિ–કક્ષાના ઉદયને નિરોધ કર અથવા ઉદય પ્રાપ્ત કષાયાને વિફલ કરવા તેનું નામ કષાય સંલીનતા છે. આ પ્રકારનું કથન માન, માયા અને લેભ વિષે પણ સમજવું.
વત્તા પરિસંકળા” ઈત્યાદિ. અપ્રતિસલીનના-ક્રોધ અપ્રતિસંલીન આદિ ચાર પ્રકાર કહ્યા છે. ઉદય પ્રાપ્ત કંધને નિરોધ નહીં કરનારને કે અપ્રતિસંલીન કહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ અપ્રતિસંલીનને ભાવાર્થ પણ જાતે જ સમજી લે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૭