Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૌરવાદિ ભેદોંકા નિરૂપણ
ઋદ્ધિના સદ્દભાવમાં જ ગૌરવના સદ્ભાવ હાય છે, તેથી હવે સૂત્રકાર ગૌરવનું નિરૂપણ કરે છે- તો ગાવા વળત્તા ' ઇત્યાદિ
સૂત્રાર્થ –ગૌરવ ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧)ઋદ્ધિ ગૌરવ, (૨)રસગૌરવ, અને (૩) જ્ઞાન ગૌરવ. કરણ (ક્રિયાનું સાધન) પણ ત્રણ કહ્યા છે–ધાર્મિક કરણ, અધાર્મિક કરણ અને ધાર્મિ કાધાર્મિક કરણ, ભગવાને ધર્મ ત્રણ પ્રકારના કહ્યો છે-(૧) સ્વધીત ધર્મ, (૨) સુખ્યાત ધમ, અને (૩) સુતપસ્થિત ધર્મ. જ્યારે શ્રુત સ્વીત હોય છે, ત્યારે તે સુધ્યાત હોય છે, અને જ્યારે તે સુખ્યાત હોય છે, ત્યારે તે સુતપસ્થિત હોય છે. તે સ્ત્રીત, સુખ્યાત અને સુતપસ્થિત ધમ સભ્યજ્ઞાન ક્રિયા રૂપ હાવાથી તેને સાચા ધમ કહ્યો છે, અને આ ધમ ભગવાન મહાવીરે કહ્યો છે.
ટીકાથ—ગુરુના ભાવ અથવા કમ ગૌરવ છે. તે ગૌરવ દ્રશ્ય અને ભાવના ભેદથી એ પ્રકારનું કહ્યું છે. વાર્દિકામાં જે ગુરુતા છે, તે દ્રવ્ય ગૌરવ રૂપ છે, તથા આત્મામાં અભિમાનરૂપ, લેાભાદિ કષાયરૂપ, અશુભ ભાવેાથી યુક્તતા ડાવા રૂપ, જે ગૌરવ છે તેને ભાવગૌરવ કહે છે. તે ભાવ ગૌરવને જ ઋદ્ધિ આદિના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ રૂપ ઋદ્ધિની પ્રાપ્તિ થવાથી આત્મામાં જે અભિમાનની માત્રા આવી જાય છે અને તે અભિમાનની માત્રા દ્વારા જે અશુભ ભાવ પેદા થાય છે તેનું નામ જ ભાવગૌરવ છે. મા થનનું તાત્પર્ય એ છે કે નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ રૂપ વિશિષ્ટ પદ્મની જ્યારે પ્રાપ્તિ થાય છે, ત્યારે તેની પ્રાપ્તિને લીધે જીવમાં અહંકાર આદિ રૂપ અશુભ ભાવે ઉત્પન્ન થાય છે, તે ભાવ ઉત્પન્ન થવાને લીધે તે અપ્રાપ્ત વસ્તુની અભિલાષા કરવા લાગી જાય છે. તેના આ પ્રકારના ભાવને જ ભાગૌરવ કહે છે, કારણ કે આત્મામાં આ પ્રકારના અશુભ ભાવ જાગવાથી કર્મ બન્યજન્ય ગુરુતા જ ઉત્પન્ન થાય છે-લઘુતા ઉત્પન્ન થતી નથી. રસનેન્દ્રિયના જે વિષય છે તેનું નામ રસ છે. તે રસ મધુર આદિ પાંચ પ્રકારના કહ્યા છે. આ રસની પ્રાપ્તિથી આત્મામાં જે અભિમાન આવે છે, અને એ જ પ્રકારના રસ ફ્રી પ્રાપ્ત કરવાની જે તૃષ્ણા જાગે છે, તે તૃષ્ણા ( ચાહના ) રૂપ અશુભ ભાવનું નામ રસગૌરવ છે, એ જ પ્રકારનું જ્ઞાનગૌરવ પણ સમજવું, જે ચારિત્રૠદ્ધિની વાત કરી છે તેની હવે પ્રરૂપણા કરવામાં આવે છે-ચારિત્રકરણ દ્વારા સ`ભવે છે, તેથી સૂત્રકાર હવે કરણના ભેદનું કથન કરે છે-“ તિવિષે ાળે ” ઇત્યાદિ
ચરણની જેના દ્વારા પુષ્ટિ કરાય છે તે કરણ છે. તે કરણુ ઉત્તરગુણુ રૂપ હાય છે. અથવા પિંડ વિશુદ્ધિ માદિનું નામ કરણ છે. તે વિશુદ્ધિ આદિ રૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૨૨