Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી એવી તે જેતેશ્યાને પ્રાપ્ત કરી લે છે કે જે અનેક યોજન પરિમિત ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને બાળીને ભસ્મ કરી નાખવાને સમર્થ હોય છે. તે તેલેસ્થા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી આવિર્ભુત, લબ્ધિવિશેષ દ્વારા પેદા થઈ હોય છે. જે મહર્ષિ શ્રમણ નિગ્રંથને આ તેજલેશ્યાની પ્રાપ્તિ થઈ હોય છે તે તેના પ્રભાવથી સૂર્યબિંબની જેમ દુર્દશ (જેની સામે જોવામાં પણ તકલીફ પડે એ) હોય છે, અને અનેક જીવમાં સંતાપને ઉત્પાદક થાય છે. પરંતુ આ વિશિષ્ટ પ્રભાવશાલિની તેજલેશ્યાને પ્રાપ્ત કરનાર શ્રમણ તિથની બાબતમાં એવું બનતું નથી, કારણ કે પોતે પ્રાપ્ત કરેલી તેજલેશ્યાને તે પિતાની અંદર જ સંક્ષિપ્ત કરીને રાખે છે, કારણ કે શાન્તિને ઉગ તેની અંદર એટલે અધિક હોય છે કે જેના કારણે તે તેજલેશ્યા તેના શરીરની અંદર કાંતે લીન થઈ જાય છે, અથવા તો હસ્વતા પ્રાપ્ત કરે છે. જે એવું થતું ન હતું તે તે સૂર્યના બિંબની જેમ દુર્દશનીય અને અનેક પ્રાણીગણે માટે સંતાપકારક થઈ પડત. જે કારણેને લીધે પ્રાપ્ત થયેલી તેજલેશ્યાને સંક્ષિપ્ત કરી લેવામાં આવે છે.
તે ત્રણ કારણે હવે પ્રકટ કરવામાં આવે છે (૧) આતાપના-જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય ત્યારે સૂર્યની તરફ મુખ રાખીને અને બને ભુજાઓ ઊંચી રાખીને આતાપનાનું સેવન કરવું, હેમન્ત ઋતુમાં પ્રાવરણ રહિત થવું એટલે કે મહપત્તિ અને ચલપટ્ટક સિવાયના બધાં કપડાં ઉતારી નાખવા, અને વર્ષાકાળમાં ઇન્દ્રિય, કષાય અને જેગોને રેકીને વિવિક્ત સ્થાનમાં શય્યાસનનું સેવન કરવું તેનું નામ આતાપના છે. (૨) ક્રાધાદિને નિગ્રહ કરીને-નહીં કે અશક્ત હોવાને લીધે અંધ વ્યક્તિઓ દ્વારા કરાયેલા અપરાધને સહન કરવો તેનું નામ ક્ષાન્તિક્ષમા છે. (૩) પારણાના સમય સિવાયના અન્ય સમય દરમિયાન પાણીના વર્જન ( ત્યાગ) વાળી છઠ્ઠ છઠ્ઠાદિ રૂપ તપસ્યા નિરન્તર છ માસ પર્યન્ત કરવી તેનું નામ અપાનક તપ કમ છે. આ પ્રકારના આતાપના, ક્ષાતિક્ષમા અને અપાનક તપ:કમરૂપ ત્રણ કારણને લીધે તેજલેશ્યાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૯