Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવ અને અવગત પર્યાયનું નામ ભાવ છે. જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, આ બન્ને પ્રકારના ભાવ હોય છે ક્ષાયિકાદિ ભાવને પ્રશસ્ત ભાવ કહે છે અને ઔદયિક આદિ ભાવને અપ્રશસ્ત ભાવ કહે છે. ક્ષાયિક ભાવ સામાદિ (જ્ઞાનાદિ) રૂપ હોય છે, તે કારણે અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ અપ્રશસ્ત ભાવની અપેક્ષાએ તે પ્રત્યેકના પ્રત્યેનીક પ્રકટ કરવામાં આવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિષયક વિપરીત પ્રરૂપણ કરવાથી અથવા તેમાં દૂષણનું આરોપણ કરવાથી, તેઓમાં પ્રત્યેનીકતા આવી જાય છે. જેમકે –
વય યુનિવર્દ્ર” ઈત્યાદિ–
આ સૂત્ર પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે, સંસ્કૃતમાં નિબદ્ધ નથી ” ઈત્યાદિ રૂપે ગહિત વિચારધારપૂર્વક કહેવું તેને જ્ઞાનવિષયક વિપરીત પ્રરૂપણ કહેવાય છે. તથા “ શી ખબર, આ શાસ્ત્ર ભગવાને રચ્યું છે કે અન્ય કોઈએ રહ્યું છે ! ભગવાને જ રચ્યું છે તેનું પ્રમાણ શું છે ? એવા કોઈ પ્રમાણને અભાવે તેમાં શ્રદ્ધા શા માટે રાખવી જોઈએ !” આ પ્રકારનું કથન કરનારને દર્શન પ્રત્યેનીક કહે છે. “ચારિત્ર ગ્રહણ કરવામાં શું લાભ છે? ચારિત્રશાળી જીવ જ્ઞાન તે આપી શકતા નથી, અને જ્ઞાન વિના કેઈ લાભ થતો જ નથી. લોકમાં જ્ઞાન ને જ શ્રેષ્ઠ કહ્યું છે, બીજુ કંઈ પણ તેનાથી ઉત્તમ નથી. આ પ્રકારની વિપરીત પjષણ કરનારને ચારિત્ર પ્રત્યેનીક કહે છે. શ્રુતની અપેક્ષાએ પણ ત્રણ પ્રત્યનીક કહ્યા છે-(૧) સૂત્ર પ્રત્યેનીક (૨) અર્થ પ્રત્યેનીક અને (૩) તદુભય પ્રત્યેનીક
આચારાંગ આદિ સૂત્રરૂપ આગમ છે. તેનું વ્યાખ્યાન તે અથરૂપ આગમ છે. સત્ર અને અર્થ એ બને ઉભયરૂપ આગમ છે. તેમાં દૂષણોનું આરોપણ કરવું, એ જ તેમના પ્રત્યેની પ્રત્યકતા છે જેમકે-“નવા જ નવા ૪” ઈત્યાદિ
જીવ, અજીવ, વ્રત, અપ્રમાદ, આ તે જાણીતાં તત્વો છે. તે સૂત્ર, અર્થ આદિ વાંચવાની જરૂર જ શી છે ?આ પ્રમાણે કહેનારને શ્રત પ્રત્યેનીક કહે છે. એ સૂ. ૭૫ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૧