Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. કહ્યું પણ છે કે “સર્ણ દામા, વિહં જામા ” આ પ્રમાણે અથતિનું નિરૂપણ અહીં પૂરું થાય છે. સૂ. ૬૦ છે
અર્થાદિ વિનિશ્ચયક કારણોંકી પરમ્પરાકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં અર્થાદિના વિનિશ્ચયની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર તેના કારણે અને ફળની પરમ્પરાનું કથન કરે છે. જો કે ત્રણ સ્થાનમાં તેમને સમાવેશ થતો નથી, છતાં પણ પ્રસંગતઃ ભગવત્મશ્નોત્તર રૂપે અહીં તેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે-“તહાd of મંતે ! વમળ વા માળે વા” ઈત્યાદિ
સૂત્રાર્થ–પ્રશ્ન-હે ભગવન તથારૂપવાળા શ્રમણ અથવા માતાની પ પાસના કરનારા પુરુષની પર્યું પાસના કયું ફળ દેનારી હોય છે?
ઉત્તર–તેની તે પડ્યું પાસના શ્રવણ ફલવાળી હોય છે. પ્રશ્ન–હે ભગવન્! તે શ્રવણ કયા ફળવાળું હોય છે? ઉત્તર–તેનું તે શ્રવણ સાન ફળવાળું હોય છે. પ્રશ્ન- હે ભગવન ! તેનું તે જ્ઞાન કયા ફળવાળું હોય છે?
ઉત્તર–તેનું તે જ્ઞાન વિજ્ઞાનરૂપ ફળવાળું હોય છે. આ પ્રમાણે આ અભિલાપથી આ ગાથા સમજવી જોઈએ. “સવ બાળે ૨ વિજ્ઞાળે” ઈત્યાદિ.
“હે ભગવન્! તે અક્રિયા કયા ફળવાળી હોય છે?” આ પ્રશ્ન પર્ય. ન્તના પ્રશ્નો અહીં “ચાવત' પદથી ગ્રહણ થયા છે.
ઉત્તર–તે અક્રિયા નિર્વાણ ફળવાળી હોય છે, પ્રશ્નન–હે ભગવન્! તે નિર્વાણ કયા ફળવાળું હોય છે?
ઉત્તર–હે શ્રમણ ! હે આયુષ્યન્ ! તે નિર્વાણ સિદ્ધિગતિગમન ફળવાળું હોય છે, એવું તિર્થ કરેએ કહ્યું છે.
ટકાથું—“ તથારૂપ” પદ એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ શાસ્ત્રોક્ત ક્રિયા કરે છે, એવા તપસ્વી મુનિની તથા જે પોતે જ સાવધ વ્યાપારથી નિવૃત્ત થયેલા છે અને અન્યને “મા હણે, મા હણ” એ ઉપદેશ આપે છે એવા માહણની જે પુરુષ પર્યુંપાસના કરે છે, તે પુરુષને તે પર્યપાસના વડે કયા ફળની પ્રાપ્તિ થાય છે?
આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તેની તે પડ્યું પાસના તેને સિદ્ધાન્ત શ્રવણુરૂપ ફલદાતા થાય છે. એટલે કે તથારૂપ શ્રમણ કે માહણની પર્યું પાસના કરવાથી તે પર્ય પાસક વ્યક્તિ શ્રુતચારિત્રરૂપ ધર્મને શ્રવણ કરવારૂપ ફળ પ્રાપ્ત કરે છે. તથારૂપ શ્રમણ અને માહણની સમીપે સિદ્ધાન્તનું શ્રવણ કરવાથી શ્રવણ કરનારને શ્રુતજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૭૬