Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રસ્તુત વ્યાખ્યાન અંગે બે બેલ
પ્રસંગે તરવરતા હોય છે. પ્રેક્ષકોના હૃદયપટ ઉપર તેની છાપ એવી અમિટ અંકાઈ જાય છે કે દીર્થ કાળ સુધી એની અસર ભુંસાતી નથી. મુખ્ય એર (અભિનેતા) કે ફિ૯મરટાર અગ્રગણ્ય પાત્ર-કલાકાર ઉપર કેટલાક યુવક-યુવતીઓ એવા આફરીન થઈ જાય છે, એની પાછળ એવા પાગલ બની જાય છે કે તેના ફેટાઓ (પ્રતિકૃતિઓ) પિતાની ડાયરી (રોજનિશી, પર્સ, પાકીટ વગેરેમાં સાથે જ રાખે છે. અને ઘરમાં ટેબલ (મેજ) ઉપર રાખે છે. અરે ! ઘરની દિવાલે એનાં ચિત્રથી જ મઢાઈ જાય છે. તેઓ મિત્રો વચ્ચે પસંદગીના એકટરની વાતે, પ્રશંસા કે ચર્ચા કરતાં ધરાતા નથી-થાકતા નથી. તેની રહેણીકરણી – ઢબછબમાં તેની નાનામાં નાની બાબતમાં તેઓ ઊંડો રસ લેતા હોય છે. તે વખતે તેમના હાવભાવ એવા દેખાતા હોય છે કે એકટરો જાણે તેમના આરાધ્ય દેવ ન હોય! આ દશા આજે યુવાન પ્રજામાં પ્રવર્તે છે,
ભાવિ પેઢીને ધર્માભિમુખ કરવા નવી પદ્ધતિ અપનાઉપર કહ્યું તેમ સિનેમાની જેવી પ્રબળ અસર છે લગભગ તેને જેવી અસર નાટકની પણ છે. આ પરિસ્થિતિમાં લેકે અધાર્મિક કે અર્થધાર્મિક નાટક જુએ એના કરતાં ધાર્મિક બાધ ન આવે એવાં અન્ય કઈ પદ્ધતિ – (લ્યુમિનિસ્ટાપ જેવી) પ્રયોગ દ્વારા તેને ધર્મમાગે જે વાળી શકાતા હોય અને વળ્યા હોય તેને પુષ્ટિ મળતી હેય તે વિના સંકોચે તેવાં સાધને દેશકાળની દ્રષ્ટિએ અપનાવવા જોઈએ.
ધાર્મિક પાત્રો અને પ્રસંગે જે પ્રેક્ષકોનું તાદાઓ જેટલું સધાશે અને તે જે વારંવાર સધાશે તે તે પાત્રોને પ્રસંગે જોડે આત્મીય નાતો બંધાશે. સિનેમાના સ્ટારની જગ્યાએ આ પાત્ર પ્રત્યે તેમને પ્રગાઢ સ્નેહ બંધાશે તે પ્રેક્ષકોના જીવનમાં સંજીવનીનું કામ કરશે. વિવિધ યોગ્યતા ધરાવનાર છ માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવો એ
ગ્ય માર્ગ છે. ફક્ત સાધન શુદ્ધ હવું ઘટે. જે સાધનનો ઉપયોગ ભગવાન સમક્ષ થાય તે સાધન શુદ્ધ જ છે એ પુરવાર થયેલી બાબત છે.