Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૫૨
સંગીત, નૃત્ય અને નાટ્ય
ઊંધ આવે છે તે આ ગવૈયાઓને તું વિસર્જન કરજે. એમ કહી ક્ષણવારમાં એઓ નિદ્રાવશ થયા. શવ્યાપાલકે ગીતના લેભથી પેલાઓને રજા ન આપી. રાત્રિના છેલા પહોરે ત્રિપૃષ્ઠ જાગ્યા તે અક્ષણ અને મધુર સ્વરે એ ગવૈયાઓ ગાતા હતા. એ ઉપરથી એમણે શવ્યાપાલકને પૂછયું કે તે એમને વિસર્જિત કેમ ન કર્યા ? શવ્યાપાલકે કહ્યું કે ગીતના આકર્ષણને લઈને આપના આદેશ પ્રમાણે હું વર્યો નથી. ત્રિપૃષ્ઠ ચિડાયા અને સવારે એને સભામાં બેલાવી નેકરને હુકમ કર્યો કે આ ગીતના રસિયાના કાનમાં તપાવેલું સીસું અને તાંબું રે જે કેમકે આ કાનને દેષ હતું. તેણે તેમ કહ્યું કેમકે ત્રણ ખંડના સ્વામીની આજ્ઞા કોણ પી શકે ?
માલવશિકી રાગ – “કલિક હેમચન્દ્રસૂરિએ વીતરાગસ્તોત્ર (પ્રકાશ ૫, લે. ૩)માં “માલવશિકીનામના ગ્રામ-રાગને ઉલ્લેખ કર્યો છે. એના ઉપર વિશાલરાજના શિષ્ય સેમેદયગણિએ વિ. સં. ૧૫૧રમાં રચેલી પંજિકા (અવચૂર્ણિ)ના પત્ર ૪૧માં કહ્યું છે કે માલવકૅશિકી' રાગ વૈરાગ્યને વ્યંજક છે અને અતિશય સરસ છે.
હવે હું “મૃત્ય” સંબંધી કેટલીક વિગતો રજુ કરું છું
નૃત્યના પાંચ પય – અભિ૦ (કાંડ ૨, ભલે. ૧૯૪)માં “નૃત્ય માટે નીચે મુજબના પાંચ પર્યાય અપાયા છે –
તાંડવ, નટન, નાટય, નૃત્ત અને લારય.
આ સંબંધમાં એની પણ વિકૃતિ (પૃ. ૧૧૭)માં કહ્યું છે કે નટનું નૃત્ય તે “નાટય” છે. તાંડવને ઉદ્ભવ તંદુથી થયો હેવાથી એને “તાંડવ” કહે છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે ભારતે તાંડવ,
અને લા.