Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 211
________________ પહેલું] સારીગમનું વિરાટ સ્વરૂપ ઉત્પન્ન કરે છે એટલે સ્વરે પણ અસંખ્ય થયા. અહમાં આ સંબંધમાં એમ પણ કહેવાયું છે કે (મૃદંગાદિ, અજીવ પદાર્થોમાંથી પણ સ્વર ઉત્પન્ન થાય છે એટલે એ દૃષ્ટિએ તે સ્વરની સંખ્યા સાતની જ કેમ ગણાય?–અસંખ્ય ગણાવાવી જોઈએ. અચુ અને અહ એ બેમાં આ પ્રશ્નના બે ઉત્તર અપાયા છે (૧) (ષડજ વગેરે) સવે સ્વરને સાતમાં અંતભવ થાય છે અને (૨) અહીં સ્થળ ગણના છે. ઠાઓ અને અહેમ તે આ ઉપરાંત ત્રીજું કારણ દર્શાવાયું છે અને એ છે કે ગીતને ઉદ્દેશીને સાત સ્વરને નિર્દેશ છે અર્થાત્ ગીતમાં આ સાત જ સ્વરને, નહિ કે અસંખ્ય સ્વરને ખપ પડે છે. જુઓ પૃ. . શબ્દબ્રહ્મ – આ ઉપરથી જણાશે કે સ્વરે સાત જ નથી. પજ વગેરેના સક્ષ્મ ભેદોને લક્ષમાં લેતાં પ્રત્યેક શબ્દ-સાદ-અવાજ વનિને પણ સ્વર' તરીકે ઉલ્લેખ થઈ શકે. એમ કરતી વેળા એ વાત આપણે જે ખ્યાલમાં રાખીશું કે શબ્દસૃષ્ટિ નાનીસની નથીએ તે અતિશય વિશાળ છે તે શબ્દબ્રહ્મ સુધીની માન્યતાને એક રીતે રવીકારવાને આપણને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેમ થતાં મારા જેવો તે એ શબ્દબ્રહ્મને “સારીગમ'નું ‘વિરાટ’ સ્વરૂપ માનવા પ્રેરાય. પૂર્વજોની પરંપરા – આ લેખમાં મેં “સારેગમને સારી ગમ'નું ઉત્તરવર્તી સ્વરૂપ ગણ્યું છે, જ્યારે “સરિગમ' એ એનું પૂર્વવત સ્વરૂપ છે-એ એને પૂર્વજ છે. એને પણ પૂર્વજ તે. સરિગમપધનિ' છે. વળી એ “સરિગમપધનિને પૂર્વજ સજજ

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252