Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલ્લેખે અને ગ્રન્થ સિકા બાદ થયેલા સમભાવભાવી હરિભદ્રસૂરિની વૃત્તિ છે. આ ચણિ ( પત્ર ૪૭૫-૪૮૪)માં દશાર્ણભદ્ર રાજાનું ચરિત્ર અપાયું છે. એ રાજાએ એવું અભિમાન કર્યું હતું કે મહાવીર સ્વામીને વંદન કરવા માટે હું એવી ઋદ્ધિ અને ઠાઠમાઠપૂર્વક જાઉં કે એની બરાબરી કેઇ ન કરી શકે. આ અનિષ્ટ વિચારની શક્ર ઇન્દ્રને જાણ થતાં એણે આ રાજાના ગવને દૂર કરવાને ઈરાદે ઐરાવણ નામના હસ્તિરાજને બોલા અને કહ્યું કે તુ ૬૪૦૦૦ હાથી એવા બનાવ કે એ દરેક હાથીના શરીરને વિષે આઠ આઠ દંકૂશળવાળાં ૫૧૨ મસ્તક હેય. તેમ કરી એકેક દંતૂશળ ઉપર આઠ આઠ પુષ્કરિણું ( વવડી ) રચ અને એ દરેકમાં લાખ લાખ પત્રવાળાં આઠ પદ્દો બનાવ. વળી એ દરેક પત્ર ઉપર દિવ્ય દ્ધિ અને દિવ્ય કાંતિ અને દિવ્ય પ્રભાવવાળાં ૩૨ પ્રકારનાં નાટકની રચના કર તમ થતાં શક્ર સપરિવાર મહાવીર સ્વામી પાસે આવ્યું. એની ઋાહ જોઈ દશાર્ણભદ્રને ગર્વ ગળી ગયા અને એણે દીક્ષા લીધી.
મતાંતરે – આવરૂયની નિન્જરિ ગા. ૮૪૭ની વૃત્તિ (પત્ર ૩૫૯અ )માં હરિભદ્રસૂરિએ કહ્યું છે કે શકે એરાવતને આઠ મુખવાળા વિકુર્વ મુખે મુખે આઠ આઠ દતુશળ અને પ્રત્યેક દંકૂશળે આઠ આઠ પુષ્કરિણી રચી એ દરેકમાં આઠ આઠ પત્રવાળાં આઠ પદ્ધો રચ્યાં. પછી
* ૧ જુઓ ઉપદેશ–પ્રાસાદ (વ્યા. ૧૮૧). વિશેષ માટે જુઓ મારે લેખ “શકે કેટલાં નાટ સર્યા કે સવ્યાં” આ લેખ “જન સત્ય પ્રકાશ” (વ. ૨૦, અં. ૫)માં છપાયે છે.
-
૨ નાટકની કુલ સંખ્યા ૬૪૦૦૦ x૫૧૨ ૮ X ૮ ૪૮૪૧૦૦૦૦ x ૩રી
૫૩૬૮૭૦૯૨૦૦૦૦૦૦૦૦ થઈ.