Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 155
________________ જેન ઉલેખે અને ગ્રન્થો ૪૧ ચંદનથી અતિ અને સુગંધી પુષ્પની માળાથી અલંકૃત સાત સ્વરની તંત્રીઓવાળી વીણા અપાતાં વસુદેવે એ ઉત્તમ છે એમ કહ્યું અને ૧વિષ્ણગીતની ઉત્પત્તિ કહી સંભળાવી. ત્યાર બાદ વસુદેવે અને ગન્ધર્વદત્તાએ એ વીણાને સ્પર્શ કરી વિષ્ણગીત ગાયું. પરીક્ષકોને ચારુદ પૂછયું તે તેમણે કહ્યું કે આ તમારી પુત્રીએ જે ગાયું તેનું જ વાદન આ કદિલ બ્રાહ્મણે કર્યું છે. એ ઉપરથી ગધર્વેદતાનું લગ્ન એની સાથે કરાયું. પાંચ મુક્તાદામનું સંગીત – રાય (સુત ૧૫ )માં સૂર્યાભ દેવની આજ્ઞાથી રચાયેલા વિમાનનું આકર્ષક અને શિલ્પશાસ્ત્રના અભ્યાસીને ઉપયોગી થઈ પડે એવું વિસ્તૃત વર્ણન છે. પત્ર ૩૦આ૩૮અમી (બેચર કંડિકા ૪૩માં) કહ્યું છે કે (એ વિમાનમાંના મેટા) સિંહાસન ઉપર દેવોએ એક મોટું, ત અને રત્નમ્ય વિજયકૂષ્ય (એક જાતનું વસ્ત્ર ) વિકુવ્યું (પિતાની શક્તિથી રમ્યું છે. એના બરાબર મધ્ય ભાગમાં એક મોટા વજમય અંકુશ (મુક્તાદામ લટકાવવા માટેનો વાંકે સળિય) વિકુળે. એ અંકુશમાં એક કુંભ જેવડે મુક્તાદામ (મોતીને ઝૂમખ) વિદુર્યો. એની ચારે બાજુ અડધા કુંભ જેવડ ૧ આ સંબંધમાં જુઓ પૃ. ૪૬. ૨ કુંભને જે અત્રે ઉલ્લેખ છે એનું પરિમાણ મગધ દેશ પ્રમાણે સમજવું એમ મલયગિરિસૂરિએ કહ્યું છે. તદુલવાલિય (સુર ૧૭, પત્ર ૪ર)માં અસઈ, પસઇ, સેઇઆ, કુલય, પય, આઢય અને કુંભને પરસ્પરને સંબંધ દર્શાવાય છે. એ મુજબ ૧૫૩૬૦ અસઈ અસતિ)ને એક જઘન્ય કુંભ થાય છે. જે “અસઈ એટલે “અડધે શેર” એમ માનીએ તે એક જઘન્ય કુંભ એટલે ૧૯૨ મણ થાય, એવી રીતે મધ્યમ કુંભનું વજન ૨૫૬ મણું અને ઉન્ટ કુંભનું ક૨૦ મણું થાય. જે કુલયના ૩૬ પૈસા ઇત્યાદિ કે અન્ય માપ મળે છે તે લેવાનું હોય તે કુંભના પરમાણમાં પણ ફેર પડે.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252