Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
સ્કંધની રચનામા સ્પર્શ ગુણની ચીકાશ અને લુખાશ એ પર્યાયો જ ઉપયોગી છે. તે અનુસાર સ્કંધની રચના થાય છે. જીવ તેમાં અકિંચિત્કર છે.
·
પ્રતિચ્છેદ શબ્દનો પ્રયોગ કરે છે. એક અંશથી · લઈને અનંત અંશ સુધીના ભેદોને સ્થાન છે. અર્થાત્ ચીકાશ ઓછી હોય ત્યારે ચીકાશના અવિભાગ પ્રતિચ્છેદ ઓછા છે અને તે વધુ હોય ત્યારે અવિભાગ પ્રતિચ્છેદ વધારે હોય છે. અહીં એ ખ્યાલ રહે કે ચીકાશના તરતમ ભેદને દર્શાવવા માટે આ વર્ણન ક૨વામાં આવે છે. એનો અર્થ એ થયો કે એક પરમાણુના સ્પર્શ ગુણની પર્યાયમાં માત્ર ચીકાશનો જ વિચાર કરીએ ત્યારે : અનાદિથી અનંતકાળ સુધીના પરિણામો એક સરખા ન હોય. ચીકાશના તરતમ ભેદ અનુસાર ચીકાશ ફેર પડતો જાય છે.
:
ગાથા = ૧૬૪
એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે, સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪. પરમાણુને પરિણામને લીધે એકથી (એક અવિભાવ પ્રતિચ્છેદથી) માંડીને એકેક વધતા અનંતપણાને (અનંત અવિભાગ પ્રતિચ્છેદ પણાને) પામે ત્યાં સુધીનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ હોય છે એમ (જિનદેવે) કહ્યું છે.
:
સ્કંધની રચના કઈ રીતે થાય છે તેની પૂર્વ ભૂમિકા આ ગાથામાં આચાર્યદેવ બાંધે છે. અન્વયાર્થમાં જિનદેવે આ પ્રમાણે કહ્યું છે એમ
લખાણ છે. અહીં એ વાત ખ્યાલમાં રાખવી કે ૫રમાણુનું સ્વરૂપ ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. તેથી તે છદ્મસ્થથના જ્ઞાનનો વિષય નથી. માટે આ જેટલું વર્ણન આવે છે. તેનો આધાર સર્વજ્ઞનું જ્ઞાન જ છે.
:
:
એક પરમાણુમાં અનંત ગુણો છે. તેમાં
અહીં તેના સ્પર્શ ગુણની વાત ક૨વા માગે છે. સ્પર્શ એક પરમાણુમાં તેના અનાદિથી અનંત કાળ ગુણની પર્યાયમાં ચાર જોડકા એટલે આઠ : સુધી થતાં પરિણામોમાં આટલી વિધવિધતા થાય પ્રકારની પર્યાયો શક્ય છે. પરમાણુમાં શીત-ઉષ્ણ : છે તે બધાને એ ૫૨માણુ સ્વતંત્રપણે પ્રાપ્ત કરે છે. તથા સ્નિગ્ધ અને રૂક્ષ એ બે જોડકામાંથી એક : અર્થાત્ આ બધું પરમાણુનું સ્વતંત્ર કાર્ય છે. એક પર્યાય હોય છે. સ્કંધમાં ચાર પર્યાય થાય છે કારણકે ત્યાં ભારે-હલકું તથા લીસુ-ખરબચડું. એવા બીજા બે જોડકામાંથી એક એક પર્યાય હોય છે. અહીં પરમાણુમાંથી સ્કંધ કેવી રીતે થાય છે તે વિષય છે માટે માત્ર સ્પર્શ ગુણ અને તેની ચીકાશ અને લુખાશ એવી પર્યાયની જ વાત લેવા માગે છે.
ગાથા- ૧૬૫
:
:
હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અશુ-પરિણામ, સમ વા વિષમ હો, બંધાય જો ગુણક્રય અધિક; નહીં બંધ હોય જઘન્યનો; ૧૬૫. પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, જો સમાન કરતા બે અંશ અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી. જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
૧૮૮
ચીકાશની માફક લુખાશમાં પણ એ જ પ્રકારે અનેક ભેદ પડે છે. અને સ્પર્શ ગુણની અન્ય પર્યાયોમાં પણ એમ સમજી લેવું. ખરેખર તો પુદ્ગલના તેના દરેક ગુણમાં અનાદિથી અનંતકાળ સુધીની પર્યાયોનો વિચાર કરીએ ત્યારે બધામાં નવા નવા સ્વરૂપ જોવા મળે છે. ખ્યાલમાં રહે કે પદાર્થના વિશેષ ગુણો જ આ પ્રકારની અંતરંગ વિવિધતા લઈને રહેલા છે. સામાન્ય ગુણોનું પરિણમન તો એકસરખું રહે છે.
ચીકાશની માત્રા સમજવા માટે અવિભાગ