________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્રશમરતિ પ્રામાણિકતાના પથ પર દૃઢ બનીને ચાલતા રહે. ક્યારેય કોઈનો વિશ્વાસભંગ કરવાનું પાપ ન આચરશો. લોભ!
સર્વગુણોનો નાશ જ પસંદ હોય તો લોભદશા મુબારક હો! તમારા જીવનબાગમાં ક્ષમાનાં પુષ્પોની સુવાસ જો ચાહો છો, નમ્રતા અને સરળતાનાં આમ્રવૃક્ષોની શીતળ છાયા જો ચાહો છો, સત્ય અને સંતોષનાં મધુર ફળોના આસ્વાદ જો ચાહો છો, તો તમે લોભ ત્યજી દો.
લોભ તમને અહિંસક નહીં રહેવા દે, લોભ તમને સત્યના છાંયડે નહીં બેસવા દે. લોભ તમને પ્રામાણિક પુરૂષ' નહીં રહેવા દે. લોભ તમને સદાચારીબ્રહ્મચારી નહીં રહેવા દે.... લોભ તમને દાન દેતાં રોકશે, તપશ્ચર્યાનો માર્ગ રોકશે... શુભ ભાવનાઓને તમારા મનોમંદિરમાં પ્રવેશતાં આંતરશે!
એકેય ગુણ નહીં રહેવા દે. પછી? ગુણ વિનાનું જીવન તમને સંતોષ આપશે? ગુણ વિનાનું જીવન આત્મકલ્યાણનું સાધન બનશે? તો પછી શાને લોભપિશાચને ભગાવતા નથી?
પ્રીતિ, વિનય, વિશ્વાસ અને ગુણ સમૃદ્ધિનો નાશ કરનારા ક્રોધ, માન, માયા અને લોભને આત્મભૂમિ પરથી બહાર કાઢી મૂકો.
ક્રોઘનું પરિણામ क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः ।
वैरानुपङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ।।२६।। અર્થ : ક્રોધ સર્વ જીવોને પરિતાપ કરનારો છે, સર્વ જીવોને ઉગ પમાડનારી છે, વિરનો અનુબંધ ઉત્પન્ન કરે છે અને સુગતિ-મોક્ષનો નાશ કરનાર છે.
વિવેશન: દહાવરની ઘોર પીડા અનુભવી છે ક્યારેય? અથવા દાહવરથી રીબાતા કોઈ મનુષ્યને જોયો છે તમે? અસહ્ય વેદનાની ઘોર અકળામણોથી તરફડતા એ મનુષ્યને જોઈને હૃદયસ્પર્શી વિચાર આવ્યો હતો?
ક્રોધની વેદનાઓ એવી જ કારમી વેદનાઓ છે. ક્રોધીનું જીવન અશાન્તિની આગમાં સળગતું જીવન હોય છે, એના જીવનની બળતરા, નથી તો ચંદનના શીતલ વિલેપનોથી શાન્ત થતી કે નથી ચંદ્રની શીતલ ચાંદનીથી શાન્ત થતી. એટલું જ નહીં, પરંતુ ક્રોધી સ્વયં આગનો ગોળો હોય છે! જેને એ અડે, તેને દઝાડે! જે કોઈ એને સ્પ... બળ્યો જ સમજો!
For Private And Personal Use Only