Book Title: Prabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 49
________________ તા. ૧૬-૫-૯૧ અને તા. ૧૬-૯-૯૧ પ્રબુદ્ધ કાર્યને સારી રીતે પાર પાડી શકે અને પોતાની ક્ષિતિજોને વિસ્તારી પણ શકે. આવા નેતાઓના સંગઠિત મોવડીમંડળથી કુટુંબ, સમાજ કે રાષ્ટ્રનાં ઘણાં ઉત્તમ કાર્યો થઇ શકે અને એનો અનેક લોકોને લાભ મળી શકે. એવા નેતા અને મોવડીમંડળથી સમાજ કે રાષ્ટ્ર વિવિધ પ્રકારનો ઉત્કર્ષ સાધી શકે. જ્યાં મુખ્ય નેતા પોતે પોતાના સહકારી નેતાઓની પસદગી કરી શકે છે ત્યાં સુસંવાદી મોવડીમંડળ તૈયાર થાય છે. કાર્યની વહેંચણી, જવાબદારીઓ અને સત્તાની વહેંચણીમાં કોઇ વિખવાદ થતો નથી. એકંદરે કામ સરળતાપૂર્વક ચાલે છે અને સ્વભાવગત કે વહીવટી સમસ્યાઓ ઓછી ઊભી થાય છે. પરંતુ મોટાં સમવાય તંત્રોમાં, મોટી સંસ્થાઓમાં, મોટા વેપાર ઉદ્યોગોમાં, સરકારોમાં જયાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મોવડીમંડળરચાય છે ત્યાં સત્તાની ખેંચતાણ, દુરાગ્રહો, પ્રતિષ્ઠાના પ્રશ્નો વગેરે ઘણી બાબતો ઊભી થાય છે. બહુમતીથી નિર્ણયો લેવાતા હોવા છતાં સકારણ કે અકારણ અસંતોષનું વાતાવરણ ફેલાય છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓને મુખ્ય નેતાનું પદ જોઇતું હોય ત્યાં સ્પર્ધા થાય છે, પક્ષો પડી જાય છે, એક્બીજાને પરાજિત કરવા માટે પુરુષાર્થ થાય છે. વૈચારિક મતભેદ અને દૃષ્ટિભેદને વધુ મહત્ત્વ અપાય છે. ઉચ્ચતર ધ્યેય બાજુ પર રહી જાય છે અને ગૌણ બાબતોનું પ્રાધાન્ય વધી જાય છે. જયાં સમજુ અને લોકપ્રિય નેતા સમિતિઓમાં કે મોવડીમંડળ માં બહુમતી સભ્યોનો વિશ્વાસ અને પ્રેમ જીતી શકે છે ત્યાં તેને કાર્ય કરવામાં વધુ અનુકૂળતા રહે છે. વિરોધીઓના ટીકા નિંદારૂપ પ્રહારોની બહુ અસર થતી નથી. પરંતુ જયાં બે સમાન સમર્થ પ્રતિનિધિઓ વચ્ચે મુખ્ય નેતાના પદ માટે સ્પર્ધા થાય છે અને સાધારણ બહુમતીથી કોઇ એક જીતી જાય છે ત્યારે પરાજિત થયેલા મહત્ત્વાકાંક્ષી ઉમેદવારના વલણ-વર્તન ઉપર ઘણો આધાર રહે છે. તે પરાજ્યને ખેલદિલીથી જીરવી લઇને સારાં કાર્યોમાં પ્રેમથી સહકાર આપે છે કે પરાજયના ડંખને તાજો રાખી ડગલે ને પગલે આડખીલીઓ ઊભી કરે છે એના ઉપર ભવિષ્યની ઘટનાઓનો આધાર રહે છે. નાની મોટી સંસ્થા હોય, નાનાંમોટાં સમવાયતંત્ર હોય, નાના મોટા રાજદ્વારી પક્ષો હોય કે નાનીમોટી સરકાર હોય, સામાન્ય સભ્યોને કે આમપ્રજાને તો ચૂંટણી વખતે વિચારવાનો કે પોતાની વ્યક્તિગત મતાધિકારની સત્તાનો ઉપયોગ કરવાનો અવસર સાંપડે છે. એમાં પણ સો ટકા મતદાનની શક્યતા હોતી જ નથી. જ્યાં પ્રત્યેક પદ માટે બેચાર કે વધુ ઉમેદવારો ઊભા રહ્યા હોય ત્યાં કેટલીક વાર ચૂંટાયેલા પ્રતિનિધિ વીસ-પચીસ ટકા મતથી વધુ મત ધરાવતા નથી હોતા.આવા પ્રતિનિધિઓ બધાંનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે ? પરંતુ બંધારણીય લોકશાહીની આ એક મોટી ત્રુટિ છે. આવા પ્રતિનિધિઓનું મોવડીમંડળ સત્તા ગ્રહણ કરી મનસ્વી રીતે કાર્ય કરે છે અને સભ્યોને કે પ્રજાને બીજી ચૂંટણી સુધી રાહ જોવી પડે છે. પરંતુ આવા મોવડીમંડળોમાં, પછી તે સંસ્થા કે પક્ષની કારોબારી સમિતિ સ્વ. કોરા સાહેબ (અનુસંધાન પૃષ્ઠ ૧૪ થી ચાલુ) હોય એવું બન્યું નથી. આટલું બધું કામ કરવા છતાં પોતે પોતાની મહત્તા દર્શાવતા નહિ. એમની વહીવટી કાર્યકુશળતા એટલી સારી હતી કે વિધાલયની એક જાહેરસભામાં મેં કહેલું કે કોરા સાહેબ જો વિધાલયને બદલે યુનિવર્સિટીની કોઇ શિક્ષણ સંસ્થામાં હોત તો ક્રમે ક્રમે તેઓ વાઇસ ચાન્સેલરના પદ સુધી અચૂક પહોંચી ગયા હોત. અથવા પત્રકારત્વના ક્ષેત્રમાં ગયા હોત તો કોઇ અંગ્રેજી દૈનિકના મોટા તંત્રી બની શક્યા હોત. પરંતુ કોરા સાહેબ વિદ્યાલયને વરેલા હતા. વિદ્યાલય છોડીને અન્યત્ર તેઓ જવા ઇચ્છતા નહિ. કોરાસાહેબ વિદ્યાલયને વરેલા હતા. વિધાલયની તમામ નાની મોટી વિગતો અને વહીવટી કાર્યવાહીથી તેઓ પૂરા પિરિચત હતા. આમ છતાં તેઓ સ્વમાની હતા અને પોતાને યોગ્ય ન લાગે તો ગમે તે પળે નોકરી છોડવા તૈયાર રહેતા. અમે વિધાલયમાં હતા એ દિવસોમાં પણ વ્હેવાતું કે કોરા સાહેબ પોતાનું રાજીનામું હંમેશા ખિસ્સામાં લઇને ફરે છે. એમ હેવાય છે કે કોરા સાહેબે વ્યવસ્થાપક સમિતિ સમક્ષ પોતાનું રાજીનામું અનેવાર ધર્યું છે. પરંતુ એમની સંનિષ્ઠ અને અત્યંત કુશળ સેવાઓને લક્ષમાં લઇને એમને હંમેશા મનાવી લેવામાં આવ્યા હતા. કોરા સાહેબ સ્વભાવે ઓછાબોલા અને શાંત પ્રકૃતિના હતા. તેઓ સંયમી અને કુટુંબ વત્સલ હતા. પોતાની નિકટની વ્યક્તિઓ હોય- દલસુખભાઇ if જીવન ૧૧. હોય કે સરકારી પ્રધાનમંડળ હોય, જો સર્વોચ્ચ બેચાર વ્યક્તિઓ વચ્ચે પ્રેમ, સહકાર, ઉદારતા, સજાગતા વગેરે હોય તો લોકલ્યાણનાં સંગીન કાર્યો સત્વરે થાય છે. પરંતુ તેઓની વચ્ચે વૈચારિક મતભેદ હોય, પરસ્પર દ્વેષ, મત્સર હોય તો એકબીજાની વાતને તોડી પાડવાનું વલણ વધારે રહે છે. કેટલીક વાર સર્વોચ્ચ બે જ વ્યક્તિ વચ્ચેના અણબનાવને લીધે પક્ષમાં ભંગાણ પડે છે, સંસ્થાઓ તૂટે છે, દેશ પાયમાલ થાય છે. પોતાના ઉપર અનેક લોકોના ભાવિનો આધાર રહે છે, માટે સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિને પદભ્રષ્ટ કરવા માટે પોતે દ્વેષથી પ્રેરાઇને પ્રયત્ન ન કરવો જોઇએ એટલી સૂઝ કે ષ્ટિ એમની પાસે હોતી નથી. તેઓ મોહાંધ બનીને પોતાના અને બીજાના નાશને નોંતરે છે. અસંતુષ્ટ મહત્ત્વાકાંક્ષા અને પરાજયનો ડંખ સમર્થ નેતાઓને પણ ભાન ભુલાવી દે છે. કેટલાક મોવડીમંડળો પોતાના નેતાને નચાવતાં હોય છે, તો કેટલાક નેતાઓ પોતાના મોવડીમંડળના સભ્યોને અંદર અંદર કેમ રમાડવા કે અથડાવવા તેની કળા જાણતા હોય છે. કેટલાક નેતાઓ મોવડીમંડળના કેદી જેવા બની જાય છે. જયારે પોતે છૂટે છે ત્યારે લોકોમાં શું ચાલી રહ્યું છે તેની ખબર તેને પડે છે. નાનાંમોટાં દરેક મોવડીમંડળમાં બેચાર એવી વ્યક્તિ હોવાની કે જે તેઓના સૂત્રધારની પ્રગતિ જોઈને રાજી ન થાય. તેજોદ્વેષને કારણે તેઓ મનમાં બળતા હોય છે. તક મળે ત્યારે પોતાના વિષનું વમન કરતા હોય છે. સૂત્રધાર નેતાની કંઇ ભૂલ થાય તો તેઓ હર્ષમાં આવી જાય છે. ટીકા, નિંદા કે અવળાં પ્રચાર માટે તેઓ અસત્યનો આશ્રય લેતાં અચકાતા નથી. જૂઠાણાં હાંકી, કાન ભંભેરી બે મિત્રો વચ્ચેના મીઠા ગાઢ સંબંધોને તોડાવીને પ્રસન્નતા અનુભવતા હોય છે. મોઢે પ્રશંસા અને પાછળ નિંદા એ એમનો સ્વભાવ થઇ ગયો હોય છે. મોવડીમંડળમાં સ્થાન પામેલા આવા નેતાઓ સર્પની જેમ કોને ક્યારે દંશ દેશે તે કહી શકાય નહિ. પરંતુ સમય જતાં બધા જ તેમને ઓળખી જાય છે. બીજાઓને માનસિક ત્રાસ આપનારા એવા સિનિક નેતાઓ પદ્માદ જીવનમાં પોતે જ માનસિક ગ્રંથિઓની યાતના ભોગવતા હોય છે. સારા લોકપ્રિય નેતા બનવું, મોવડીમંડળમાં સ્થાન મેળવવું, સમય જતાં મોવડીમંડળના સૂત્રધાર બનવું, લોકોના પ્રેમ અને આદર ઉભયને પાત્ર બનવું, પદ અને સત્તા વગર પ્રેમની સત્તા ભોગવવી અને ભાવિ ઈતિહાસકારોને પણ નોંધ લેવાનું અનિવાર્ય બની જાય એવું વિશાળ ભૌગોલિક અને ઇતર ક્ષેત્રે કાર્ય કરી જવું એવું સદ્ભાગ્ય વિરલ વ્યક્તિઓને સાંપડે છે. ઉત્કૃષ્ટ નેતાગીરી એ કે જે સ્થળ અને કાળના પરિપ્રેક્ષ્ય કે પરિમાણને ભેદીને પણ ઝળહળ પ્રકાશ પાથર્યા કરે ! 7 રમણલાલ ચી. શાહ માલવણિયા, રતિલાલ દીપચંદ દેસાઇ, પં. અમૃતલાલ ભોજક વગેરે હોય અથવા પૂ. મૃગાવતીશ્રીજી મહારાજ હોય તો તેઓ મન મૂકીને વાત કરે, હસે અને ટીખળ પણ કરે. એમનો રમૂજી સ્વભાવ આવા નાના વર્તુળમાં જોવા બીજા લોકોને તેઓ ભારેખમ લાગતા. અલબત્ત જયારે જરૂર પડે ત્યારે તેઓ મળતો. પરંતુ ધણા બધાંની વચ્ચે તેઓ ઘણું ખરું મૌન રાખતા. એટલે ચિંતા કે પરવા કરતા નહિ. કારણ કે તેઓ નિ:સ્વાર્થ હતા. એથી જ તેઓ સ્પષ્ટ શબ્દોમાં સાચી વાત કહી દેતા. બીજા શું કહેશે તેની તેઓ ક્યારેય વિધાલયના મંત્રીઓનો આદર સાચવતા, પણ ક્યારેય તેમની ખુશામત કરતા નહિ. પોતાને નોકરીની ગરજ છે અને મંત્રીઓ વગર ચાલશે નહિ એવું વલણ એમના જીવનમાં ક્યારેય જોવા મળ્યું નથી. ઊલટું બે મંત્રીઓ વચ્ચે વિચારભેદ હોય તો તેઓ તરત પામી જઇ શકતા. ક્યારેક બે મંત્રીઓની પરસ્પર વિરુદ્ધ વહીવટી સૂચના આવી હોય તો એક્બીજાને ખબર ન પડે તે રીતે તેઓ કુશળતાથી રસ્તો કાઢતા. કોરા સાહેબનો એક મોટામાં મોટો શોખ ને ટપાલની ટિકિટોના સંગ્રહનો હતો. કુમાર' માસિક અને અન્ય સામાયિકોમાં આવતા ટપાલની ટિકિટો વિશેના લેખો તેઓ વાંચતા અને સાચવી રાખતા. આ શોખ તેમણે પોતાના નામાંક્તિ ટિકિટ સંગ્રહકારોમાંના એક બની શક્યા. પુત્ર અશોક્ભાઇમાં સારી રીતે કેળવ્યો અને એને લીધે અશોક્ભાઇ ભારતના વિધાલયની લાઇબ્રેરી એ મુંબઇ શહેરની એક અત્યંત સમૃદ્ધ લાઇબ્રેર

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156