________________
નિરા ૩ = આશંસારહિત અર્થ =
આ પરમુખસાસણ = પરમ મુનિ વીતરાગનું વચન છે
ભાવાર્થ : આ સંસાર મોક્ષથી વિપરીત અને અસ્થિર સ્વભાવવાળો છે. કેમ કે આ સંસારમાં પર્યાય ફરી જવાથી સુખી હોય તે પણ સહજમાં દુઃખી થાય છે અને વિદ્યમાન વસ્તુ પણ અવિદ્યમાન થઈ જાય છે. (નાશ પામી જાય છે.) આ સર્વ સ્વજનાદિક આળમાળ-સ્વમતુલ્ય ક્ષણવિનશ્વર છે. તેથી આ સંસારમાં મમતાદિક વડે પ્રતિબંધ કરવો યોગ્ય નથી. માટે મારા પર કૃપા કરો અને આ સંસારનો વિચ્છેદ કરવા તમે પણ યથાશક્તિ ઉદ્યમવંત થાઓ. હું પણ તમારી આજ્ઞાથી આ સંસારનો વિચ્છેદ કરીશ કારણ કે આ સંસારમાં નિરંતર થતા જન્મમરણાદિક વડે હું અત્યંત ખેદ પામેલો છું તથા મારું સંસારોચ્છેદરૂપ વાંછિત ગુરુના પ્રભાવથી પૂર્ણ થવા સંભવ છે. આ પ્રમાણે માતાપિતાની જેમ બીજા પણ સ્ત્રીપુત્રાદિ સ્વજનોને ઉચિત પ્રમાણે પ્રતિબોધ કરી, પછી તેમની સાથે ચારિત્રધર્મનું
सूत्रम्-३