________________
શકાય તેમ નથી. તે સુખનો અનુભવ તે (સિદ્ધ)ને જ હોય છે. કહ્યું છે કે – જેમ કુમારી કન્યા પરણેલી સ્ત્રીના સુખને જાણી શકતી નથી અને જન્માંધ મનુષ્ય ઘટાદિક પદાર્થને જાણી શકતો નથી, તેમ અયોગી – છબસ્થ સિદ્ધના સુખને જાણી શકતા નથી. પણ સિદ્ધ પોતે જ જાણે છે. આ વાતની ખાત્રી શી રીતે થાય? તે ઉપર કહે છે કે – આવી સર્વજ્ઞ જિનેશ્વરોની આજ્ઞા એકાંતપણે સત્ય જ છે. કેમ કે રાગ, દ્વેષ અને મોહરહિત એવા જિનેશ્વરોને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ નથી. અને કારણ વિના કાર્ય નીપજે જ નહીં. કહ્યું છે કે – રાગ, દ્વેષ કે મોહને લીધે અસત્ય વચન બોલાય છે. પરંતુ જેનામાં તે દોષો નથી તેવા સર્વજ્ઞને અસત્ય બોલવાનું કાંઈ કારણ નથી. આથી જિનેશ્વરનું એવું વચન છે કે – સિદ્ધનું સુખ સિદ્ધ જ જાણે છે. માત્ર તે ઉપર દષ્ટાંત જ આપી શકાય છે.
मूलम् : (४९) सव्वसत्तु क्खए सव्ववाहिविगमे सव्वत्थसंजोगेणं सव्विच्छासंपत्तीए जारिसमेयं एत्तोऽणंतगुणं खु तं । भावसत्तुक्खयादितो । रागादयो भावसत्तू, कम्मोदया वाहिणो, परमलद्धीओ उ अत्था अणिच्छेच्छा इच्छा । एवं સૂરણ-૫
१८३