________________
પ્રહણા અને આસેવનારૂપ શિક્ષાને ગ્રહણ કરે છે તથા ગુરુકુળવાસી, ગુરુનું બહુમાન કરનાર, બાહ્ય વિનય કરનાર અને પરમાર્થને જાણનાર એવો તે ગુરુકુળવાસને જ તત્ત્વથી હિતકારક માને છે તથા શુશ્રુષાદિક બુદ્ધિના આઠ ગુણે કરીને યુક્ત, તત્ત્વને વિષે આગ્રહ હોવાથી વિધિયુક્ત ક્રિયા કરવામાં તત્પર, સાધ્યને વિષે લક્ષ્ય (ધ્યાન) રાખનાર, આલોક-પરલોક સંબંધી આશંસા દોષ રહિત અને મોક્ષનો અર્થી એવો તે સુત્રને પરમમંત્રરૂપ જાણી તેનો અભ્યાસ કરે છે અને તે જ સર્વથા યથાર્થપણે તે સૂત્ર અને તેના અર્થને જાણે છે. તે જાણવાથી સમ્યફ પ્રકારે તે સૂત્રનો સદુપયોગ કરી શકે છે. આ સૂત્રનો જે સદુપયોગ કરવો તે જ તીર્થકરાદિક ધીર પુરુષોનું શાસન છે – આજ્ઞા છે. અન્યથા એટલે વિધિ વિના (અવિધિએ) સૂત્રનો અભ્યાસ કરે તો અવિધિએ ગ્રહણ કરેલો મંત્ર જેમ ઉન્માદાદિક દોષ ઉત્પન્ન કરે છે તેમ વિપરીત ફળ આપનાર થાય છે.
मूलम् : (३५) अणाराहणाए न किंचि, तदणारंभओ धुवं । एत्थ मग्गदेसणाए दुक्खं, अवधीरणा, अप्पडिवत्ती । नेवमहीयमहीयं अवगमविरहेण । न एसा मग्गगामिणो ।
श्री पञ्चसूत्रम्
१२४