________________
પ્રવચન-૧
દુર્દશા જોઈને, તેમને એ અવદશામાંથી મુક્ત કરવા, ધમતીથની સ્થાપના કરીને, જીને ધર્મને પ્રકાશ આપે છે. ધર્મને આવિષ્કાર જી પ્રત્યેની અસીમ કરુણામાંથી થયો છે. અને આવી જ કરુણાથી ધમતિના પ્રતિપ્રાદક ગ્રંથોનું સર્જન થાય છે.
જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ અવશ્ય કરૂણાવંત હોય છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના આ ધર્મશાસનમાં આવા અનેક કરૂણાવાન જ્ઞાની મહાપુરુષ થયા છે. સેંકડો વર્ષ પહેલાં થઈ ગયેલા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી એવા જ એક કરુણાવંત જ્ઞાની મહાપુરુષ હતા. આ દયાળુ જ્ઞાની મહર્ષિએ પિતાના જીવનકાળ દરમ્યાન ૧૪૪૪ ગ્રંથની રચના કરી હતી. આજે તે બધા-૧૪૪૪ 2 થે ઉપલબ્ધ નથી, પરંતુ જે ગ્રંથે ઉપલબ્ધ છે તે બધા અપૂર્વ અને અદ્ભુત છે. “ધમંબિન્દુ” નામને ગ્રથ એ આ મહાપુરુષની રચના છે, કે જેને તમે આ ચાતુર્માસ કાળમાં સાંભળશે !
આ “ધર્મબિન્દુ ગ્રંથ જીવનને ઉમદા અને ઉચ્ચ બનાવવા માટે અત્યુત્તમ ગ્રંથ છે. તમે જે તમારૂં નૈતિક અને ધાર્મિક ઉત્થાન કરવા ઇચ્છતા હે, વ્યવહારશુદ્ધિ કરવા માગતા હો તે આ ગ્રંથ તમને સમુચિત, સચેટ અને સુંદર માર્ગદર્શન આપે છે. ભલે આ ગ્રંથ સેંકડો વર્ષ અગાઉ લખા હોય તે પણ આજે ય, આજના માનવ માટે તે એટલે જ ઉપાગી છે, એટલે તે કાળમાં હતે. બલકે આજના કાળમાં તે તે વધુ ઉપયેગી બને તેમ છે. ત્રણ મહત્વની સૂચનાઓ :
હા, એક વાત કહી દઉં છું આજે. તમારે આ પ્રવચને નિયમિત સાંભળવા જોઈએ. બે દિવસ સાંભળો અને બે દિવસ ન સાંભળો, એમ ન કરશે. નિયમિત સાંભળવાથી સમગ્ર વિષયનું જ્ઞાન થશે. જે અર્થમાં અને જે સંદર્ભમાં હું વાત કરીશ તે અર્થમાં અને તે સંદર્ભમાં તમને તે સમજાશે. નહીંતર ગડબડ થઈ જશે ! હું કહીશ કંઈક અને તમે સમજશે કંઈક બીજું !