Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 15
________________ દુઃખમાં પરમાત્માનું સ્મરણ જે તીવ્રતાથી થાય છે એ જ તીવ્રતાથી સુખમાં પરમાત્માનું વિસ્મરણ થઈ જાય છે. સમજાતું તો એ નથી કે દુઃખમાં થતું પ્રભુસ્મરણ એ પ્રભુપ્રેમ છે કે દંભ છે? મિતેશ, શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય અને એ રોગિષ્ઠ અવસ્થામાં દર્દીને થતું ડૉક્ટરનું સ્મરણ એ ડૉક્ટરના પ્રેમનું સૂચક છે કે તંદુરસ્તીના પ્રેમનું? જો દર્દીને ડૉક્ટર પ્રત્યે પ્રેમ હોત તો શરીર રોગમુક્ત બન્યા પછી ય એના મનમાં ડૉક્ટરનું સ્મરણ થયા જ કરતું હોત. પણ ના, બને છે સાવ ઊલટું, શરીરની રોગગ્રસ્ત અવસ્થામાં જે દર્દી પોતાના બાપને, પત્નીને કે પુત્રને ય એટલા યાદ નથી કરતો, એટલા ડૉક્ટરને યાદ કરે છે, એ જ દર્દી રોગમુક્ત બનતાની સાથે જ ડૉક્ટરને સ્મૃતિપથ પરથી વિદાય કરી દે છે. ટૂંકમાં, દર્દીનો હૃદયનો પ્રેમ તો તંદુરસ્તી પર જ હોય છે. એ તંદુરસ્તીને અનુભવવામાં ડૉક્ટર સહાયરૂપ બનતા હોવાનું એને લાગે છે અને એટલા પૂરતો એ ડૉક્ટર પાછળ પાગલ બન્યો રહેતો હોય છે. મિતેશ, તેં જે શંકા વ્યક્ત કરી છે ને, એનો જવાબ આમાં છે. માત્ર દુઃખમાં જ, કષ્ટોમાં અને તકલીફોમાં જ જો તું પ્રભુને યાદ કરે છે, ભજે છે અને સ્તવે છે અને સુખમાં, સુવિધામાં અને અનુકૂળતામાં જ પ્રભુ તારા મનમાંથી સર્વથા. વિસરાઈ જ જાય છે તો એનો અર્થ એટલો જ થાય છે કે દુ:ખમાં તે પ્રભુને યાદ કર્યા હતા, પ્રભુ ગમતા હતા માટે નહીં, સુખ ગમતું હતું માટે જ ! જ્યાં તને સુખ મળી ગયું, તારા મનમાંથી ૧ ૫.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100