Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 64
________________ શરીર અને હૃદયમાં બહુમાનભાવ. આ છે પ્રાર્થનાનું મૂલ્ય. લુખ્ખા હૈયે, રુક્ષ સ્વરે, સૂકી આંખે અને અનુત્તેજિત શરીરે થતી પ્રાર્થના એ હકીકતમાં બીજું કાંઈ પણ હશે પરંતુ પ્રાર્થના તો નથી જ. આ ગણિતના આધારે તે કરેલ પ્રાર્થનાઓને તું તપાસી જજે. તને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે તારી પ્રાર્થનાઓ જો. સ્વીકાર્ય નથી બની તો એની પાછળ જવાબદાર બીજું કોઈ જ નથી, તારું ભિખારીપણું જ જવાબદાર છે. તું શું એમ માને છે કે તું જે કાંઈ માગે એ પ્રભુએ આપી જ દેવું જોઈએ? તારી માગણીને - ઇચ્છાને પ્રભુએ સંતોષવી જ જોઈએ? ના. આ તો ત્રણ જગતનો નાથ છે, કરુણાનો સાગર છે, સર્વજ્ઞ છે અને વીતરાગ છે. એની ઉદારતાનોમહાનતાનો કોઈ જોટો નથી પણ આપણા પક્ષે બહુમાનભાવ વગેરે હોય તો જ એની ઉદારતાનો-મહાનતાનો આપણને અનુભવ થાય છે. સંયમ, ગ્રાહક બનીને પ્રભુ પાસે જા. તારી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહેશે. ૬૪

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100