________________
૨૩)(IT).
વ્યક્તિઓ સાથેના સંપર્કનાં સાધનો પુષ્કળ વધ્યા હોવા છતાં અને સરળતાથી ઉપલબ્ધ છતાં ખબર નહીં, એ સંપર્કમાં નથી આત્મીયતા અનુભવાતી કે નથી કોઈ ઉષ્મા અનુભવાતી. કારણ શું હશે એની પાછળ ?
નમન, મંદિરમાં થતી આરતી વખતે ઘંટનું વાર્ડ અને મશીન વગાડે, એ બે વચ્ચે કંઈક ફરક તો રહેવાનો જ ને ? તારા મિત્રને તું રૂબરૂ મળે અને ટેલિફોનના માધ્યમે મળે, અનુભૂતિમાં ફરક તો અનુભવાવાનો જ ને ? મારા હસ્તાક્ષરવાળો પત્ર તને મળે અને એ પત્રની ઝેરોક્સ નક્ક તને મળે, તારા હ્રદયમાં ઊઠતાં સંવેદનોમાં ફરક તો પડવાનો જ ને ? એક ચીજનું સર્જન માણસ કરે અને એ જ ચીજનું સર્જન મશીન કરે, એનો ઉપયોગ કરનારની અનુભૂતિમાં કઈક તો તફાવત પડવાનો જ ને ? અરે, જીવંત પાત્રોવાળું નાટક તું જુએ અને થિયેટરના પડદા પર પ્રગટ ધનું પિક્ચર જુએ, તારા હૃદયમાં ઊઠતી લાગણીઓમાં ફરક તો રહેવાનો જ ને !
તેં જે પુછાવ્યું એનો આ જ જવાબ છે.
સંપર્કનાં સાધનો જરૂર વધ્યા છે પણ જીવંત નહીં, મૃત ! ટેલિફોન, ઈ-મેઈલ, વેબસાઇટ, ટેલિવિઝન, કેબલ, વિડીયો, ઉપગ્રહ, સેટેલાઇટ કેબલ વગેરે બધાયમાં જીવંતતા ક્યાં ? સંવેદનશીલતા ક્યાં ? લાગણીશીલતા ક્યાં ?
નમન,
વિજ્ઞાનયુગે માલસ-માણસ વચ્ચેના હજારો માઈલોના અત્તરને નામશેષ કરી નાખવામાં સફળતા જરૂર હાંસલ કરી છે પણ એ અંતરને નામશેષ કરી નાખતાં સાધનોના બેફામ
૪૫