Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫. દલસુખ માલવણિયા (મ છે. હવાલા રજતમારક છે
તે એ છે કે તેને કોઈ સભ્ય અભણ નથી. પ્રત્યેક શીખ સૈનિક પિતાને પ્રથમ પગાર ગુરુદ્વારાને આપી કૃતાર્થતા અનુભવે છે એ તે જાણીતી વાત છે. આમ આપણી સમાજમાં નવવિચારને એક એવો વર્ગ ઊભો થવો જ જોઈએ, જે પિતાની કમાણીને અમુક ભાગ તે જુદે કાઢી પિતાના વિચારાનુકૂળ ચાલતી સંસ્થામાં વાપરે.
એક તરફથી સમાજવાદ કે સામ્યવાદ જેવા વાદોની વાત કરવી અને બીજી તરફ પિતાને પરિગ્રહ દિનપ્રતિ કેમ વધે તેની ફિકર કરવી. જ્યાં સુધી આ સ્થિતિ રહે, ત્યાં સુધી સમાજમાં નવવિચારને અનુકૂળ કઈ પણ પ્રવૃત્તિ પગભર થઈ શકે નહિ એ તે દેખીતી વાત છે.
દાન એ કોઈ બીજાની દયા ખાઈને નહિ, પણ પિતાને પરિગ્રહ ઓછો કરવાની દૃષ્ટિથી જ અપાવું જોઈએ. દાન વિષેની આ નવદષ્ટિ જે સાચી હોય તે પછી નવવિચારકોએ પરિગ્રહ વધારવા પ્રયત્ન કરવો જોઈએ કે ધટાડવા? અને જો તેઓ ઘટાડવા પ્રયત્ન કરે, તે મને નથી લાગતું કે આપણું કઈ પણ કાર્ય માત્ર નાણાને અભાવે પાંગળું બની જાય.
આચારવિનાને વિચાર માત્ર માનસિક બેજે બની જાય છે એ સૂત્ર આપણે જે નિરંતર ધ્યાનમાં રાખીએ, તે આપણું કઈ પણ પ્રવૃત્તિ હમેશાં વેગવંત જ બનવાની એ નિસંશય છે.
એટલે કેઈ પણ પ્રવૃત્તિ ચલાવવી હોય તે નાણાં ગમે તેનાં નહિ, પણ એ પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે તાદાત અનુભવનાર વ્યકિતએ જ કાઢવાં જોઈએ અને તેવી વ્યક્તિનાં જ લેવાં જોઈએ, જે આમ બને, તે જ કોઈ પણ સંસ્થા ધાર્યું પરિણામ આપી શકે,
આ કળવણીપ્રચાર કે બેકારનવારણની દિશામાં કરવા કે યોજનાઓ આપણને બહુ દૂર લઈ જઈ શકે તેમ નથી. તે બન્ને બાબતમાં આખરે તે કન્યની જ જરૂર છે અને તે માટે ધનવાનાએ આગળ આવવાની જરૂર છે. જૈન ધનવાને પોતાની દાનથતિ માટે જગમશહુર છે, પણ આજે દાનના પ્રવાહા અદલાવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ બરાબર ધ્યાનમાં લઈ સમા જનું કલ્યાણ વિશેષ કેમ સહાય અને દાનના સાત ક્ષેત્રે પૈકી કયા ક્ષેત્રોને દાનની વિશેષ સ્થિત છે, તેનો ખ્યાલ કરીને તે
માં દાનને પ્રવાહ વાળવા જરૂરી અને ઉપયોગી છે. આજે જૈન સમાજના અનેક રીતે વાસ થઈ રહ્યું છે, સંખ્યા ઘટતી જાય છે. આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે, કેળવણીમાં પણ સારી રીતે પછાત છે, એ સમાજ ક્ષીણ થશે તે ભવ્ય જિનાલએને કોણ સાચવશે? અને જ્ઞાનભંડારના કણ ઉપયોગ કરશે? માટે આજે તે અન્ય દાનક્ષેત્રને ગૌણ બનાવીને શ્રાવક અન શ્રાવિકાઓની સ્થિતિ સુધારવા પાછળ જ સર્વ દાનપ્રવાહનું એકીકરણ થવાની જરૂર છે. પારસી પંચાયતની યાના એક નાની સરખી પારસી કામને કેટલી બધી આશીર્વાદરૂપ બનેલ છે? શું આપણે ત્યાં આવું મોટું કંઇ ઊભું થઈ ન શકે કે જેમની કેળવણીની જરૂરિયાતને બરાબર પહેાંચી વળે અને વધતી જતી બેકરીમાં પણ રાહત આપી શકે? જૂની દષ્ટિ અને ધરેડવાળા દાનવીર સાધમાં ભાઇઓને આ બાબતને એ વિચાર કરવા મારી આગ્રહપૂર્વક વિનંતી છે.
– શ્રી ન વેતાંબર નરાના પંદરમા અધિવેશનના પ્રમુખ સ્થાનેથી -