Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સન ૧૯૧૫-]
પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ
રકમ પચીશ વર્ષમાં રૂ. ૨૪,૯૧૦-૧૫-૨ થઈ છે. આમાં દેરાસર ખાતું ગણવામાં આવતું નથી. દેરાસર ખાતાને સર્વ ખર્ચ સંસ્થામાં ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે અને આવક દેરાસર માટે, જીર્ણોદ્ધાર માટે અથવા આભૂષણ માટે ખર્ચવામાં આવે છે. આથી દેરાસરની આવક સંસ્થાની આવક સાથે શરૂઆતથી જ ભેળસેળ થવા દેવામાં આવી નથી. આ પરચુરણ ખાતાની સદર રોકડ રકમ ઉપાંત સંસ્થાને પુસ્તકો તથા વસ્તુઓ ભેટ મળ્યાં છે તેની રેકડમાં ગણના કરવામાં આવી નથી. મકાન ફંડ.
સંસ્થાના ત્રીજા વર્ષથી જ સંસ્થા માટે પોતાનું મકાન કરવાની જરૂર લાગી, કારણ કે મકાનની સ્થિરતામાં જ સંસ્થાની સ્થિરતા છે એ વાતને સાર્વત્રિક સ્વીકાર થયે. એટલા માટે સંસ્થાના ત્રીજા વર્ષ (સને ૧૯૧–૮) માં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિના આશીર્વાદથી તેઓની હાજરીમાં આ ફંડની શરૂઆત કરી. આ ફંડ માટે બીજે માટે પ્રયાસ દશમા વર્ષમાં કરવામાં આવ્યું. ત્રીજા વર્ષથી દશમા વર્ષ સુધીમાં આ કુંડ ખાતે કુલ રૂ. ૨,૩૧,૮૪૨-૨-૯ ની આવક થઈ તેમાં પ્રથમ પ્રયાસમાં રૂા. ૧,૪૧૪૮–૪–૦ થયા અને બીજા પ્રયાસમાં રૂા. ૯૦,૩૫૪-૧૪-૯ થયા. ત્યાર પછી એ કંડ ચાલુ રાખવામાં આવ્યું છે. પચીશમા વર્ષની આખરે રૂા. ૨,૬૨,૬૯૮-૧૦-૧૧ એ ફંડમાં વસૂલ થયા છે. જ્યારે માલકીના મકાન ખાતે રૂા. ૪,૩૦,૩૨૫-૧૩-૬ ની રકમ ખેચાય છે. જ પ્રત્યેક વર્ષે મકાન માં કેટલી રકમ વસૂલ થઈ છે તેની વિગત પરિશિષ્ટમાં બતાવી છે. મકાનના ભાડા ધાર્યા કરતાં કમતી આવવાને પરિણામે ધારી આવક થઈ નથી, પણ સંસ્થાના વિદ્યાર્થીઓનું આરોગ્ય વધે તેવું મકાન, દેરાસર, ભાષણગ્રહ અને સર્વ સામગ્રી સાથે સાંપડ્યું છે એ ઘણું સેતેષની વાત છે. મકાન ફંડને અંગે જૈન જનતાએ સારે જવાબ આપે છે અને આશા રહે છે કે તે ખાતામાં લગભગ એકલાખ સીત્તેર હજારનું દેવું (ચેક્સ રકમ બેલીએ તે રૂ. ૧,૬૭,૬૨૨-૭) રહે છે તે કોઈ વખત જનતા વસૂલ કરી આપશે.
દ્રઢ ખાતાની રકમ આ મકાન બંધાવવાના ખર્ચમાં વપરાઈ છે, તેથી જ્યાં સુધી એ રકમનાં અલગ રેકાણે ન થાય ત્યાંસુધી તે સંસ્થાના મકાનમાં રોકાયેલાં છે એમ ગણવાનું છે. સમુચ્ચય આવક. આ રીતે લવાજમ ખાતા વિગેરેમાં નીચે પ્રમાણે સમુચ્ચય આવક પચીશ વર્ષમાં થઈ
લવાજમ ૨,૬૩,૮૯૦–૦-૦ ચાલુ ન. ૧ ૧,૨૦,૭૦–૧–૦ ચાલુ ન. ૨ ૧,૦૭,૯૧૮–૦—૦ મકાન ફંડ ૨,૬૨,૬૯૮-૧૦-૧૧ સ્થાયી ૧૪,૮૮૧–૦–૨ પરચુરણ - ૨૪,૯૧૦–૧૫-૨
રૂ. ૭,૯૫,૦૧૮–૧૧-૧