Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ તે વધારે ઝીણવટથી ઊંડા ઉતરે. કેળવણીને પ્રશ્ન અતિ મહત્વને છે, એમાં ખરચેલ પાઈએ પાઈને બદલે મળી શકે તેમ છે એટલું જ નહિ, પણ એને ભરપટ્ટે અનેકગણે બદલે મળે છે, મળે છે અને મળી રહે છે તેના હવે તે જીવતા દાખલાઓ તમારી પાસે રજુ કરી શકાય તેમ છે.
આ આવક ખરચીને હિસાબ તમારી પાસે બતાવવાને મુદ્દો એ જ છે કે આપ એને હજારે કે લાખોના આંકડા ગણશો નહિ. આટલી રકમને એક વર્ષના સરેરાશે ભાંગી નાખશે તે એટલી રકમ તે એક ધનવાન દર વર્ષે પિતાના મોજશોખમાં વાપરી નાખે છે. એ આ ઈતિહાસ એક રીતે આપણી કમજોરી બતાવે છે. આટલા નાના ખર્ચમાં આટલું પરિણામ બતાવનાર સંસ્થાને આપણામાંથી કઈ “જૈનની મહાન સંસ્થા” કહેવા લલચાઈ જાય, તે તેને એક જ જવાબ હોઈ શકે અને તે એ છે કે દીલ્લી હજુ ઘણું દૂર છે. આપણું કર્તવ્ય છે તેના બાહ્ય શરીરને આપણે હજુ સહજ માત્ર સંસ્પર્શી શક્યા છીએ. આપણે તે મોટા વિશ્વવિદ્યાલય જેશે, આપણે પુરાતત્વનાં ખાતાંઓ જેશે, આપણે નિષ્ણાતેના ચર્ચામંડપ જોશે, આપણે વર્તમાન પદ્ધતિએ આગમ અને શાસ્ત્રના પ્રકાશન ખાતાંઓ જોશે, આપણે સાહિત્ય પ્રકાશ નના થેકડાને થેકડા જેશે અને આપણે વિદ્યામંદિરે ગામે ગામ અને શહેરે શહેરે કરવાં પડશે. આ તે હજુ પાશેરામાં પહેલી પૂણી જેવું કામ થયું છે, તેને ઈતિહાસ માત્ર પ્રેરણા મળે તે કારણે તૈયાર કર્યો છે, તેમાંથી કર્તવ્યભાન થાય એ એને ઉદ્દેશ છે અને એને શરૂઆત કરવાનું પ્રારંભિક બિંદુ (Starting point) ગણવામાં આવે એ એનું રહસ્ય છે.
ખરચમાં કાપકૂપને સ્થાન નથી, દર વર્ષે જે અરજીઓ પાછી વાળવી પડે છે તે નજરે તેમાં મેટે વધારે કરવાની જરૂર છે, ખરચમાં મેટે વધારે કરવા માટે મોટી આવકની જરૂર છે અને મોટી આવક માટે જાહેર જનતાના સહકાર વહેવારૂ સહકારની જરૂર છે.
ખરચની વધારે વિગતે આપ આ દળદાર ઈતિહાસને વધારે લાંબે કરવાની જરૂર નથી. એમાં હજારો વાઉચરે અને અનેક બાબતે આવે છે, એમાં ઘી દૂધ શાક દાણાથી માંડીને એ વસ્તુઓ કયાંથી ખરીદવી, એને કેવી રીતે સાફ કરાવવી, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુઓ કઈ રીતે પૂરી પાડવી અને શોખ કરતાં આરે ઉપર અને મેજ કરતાં તંદુરસ્તી ઉપર કેવી રીતે ધ્યાન આપવું તેની વિગતે આવે છે અને એ તે સંસ્થામાં આવી તેને બારિક અભ્યાસ કરવામાં આવે તે જ તેની ખૂબી ખામી સમજાય તેવું છે. ધાર્મિક શિક્ષણને ખર્ચ સરેરાશ રૂ. ૧૫૦૦ દર વર્ષે આવે છે અને તે ઉપરાંત પુરતક પ્રકાશન કે ઇનામની રકમ જુદી થાય છે. દેરાસરજી ખર્ચ રૂ. ૨૫૦-૩૦૦ દર વર્ષે થાય છે અને સ્ટાફ ખર્ચ લગભગ રૂ. ૪૦૦૦ દર વર્ષે થાય છે. આ સર્વ ખરે મધ્યમસરના છે અને આથી એ છે ખરચે સંસ્થાને વહીવટ ચલાવી શકાય નહિ તેમ ધારવામાં આવે છે. જરૂરી ખર્ચાને સંકેચ કરવામાં આવતું નથી અને લાકાલાથી કે ખર્ચ કરવામાં આવતું નથી. સરેરાશ ખર્ચ વધતે આવે છે તે માત્ર કેલેજ ફીના વધારાને આભારી છે, બાકી ભજન કે વહીવટી આંતર ખર્ચની સરેરાસ ઉત્તરોત્તર ઘટતીજ આવી છે. સંખ્યાને વધારે અને ભાવને ઘટાડે એ બન્ને કારણે સરેરાશ આંતર ખચ ઘટ્યું છે. સંસ્થા શરૂ કરી ત્યારે જે વસ્તુના ભાવ મહાવિગ્રહને અંતે હતા તેમાં ઘટાડે ચાલુ