________________
ઊભું કર્યું. હવે મારી સલાહ એક જ છેઃ તારા આ નવા પ્રસ્તાવ અંગે આપણે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરને પૂછી જોવું.”
અશ્વત્થામાને નામે દોઢડાહ્યો અને વેદિયે લાગે છે. એ વેદિયાપણા પર હસીને તે વળી પાછો શાસ્ત્રો” ટાંકવા માંડે છે. આ . अदान्तों ब्राह्मणोऽसाधुः निस्तेजाः क्षत्रियोऽधमः।
अदक्षो निन्द्यते वैश्यः शूद्रश्च प्रतिकूलवान् ॥ “અદાન્ત (દમ-શમ વગરને) બ્રાહ્મણ તે ખરાબ; નિસ્તેજ ક્ષત્રિય પણ નિન્જ; અકુશળ વૈશ્ય પણ સારે નહિ; અને સામે થાય તે શદ્ર પણ દુષ્ટ.” - હવે આ ઉક્તિ તો સર્વમાન્ય છે, લાજવાબ છે, એની સામે કશો જ વાંધો લઈ શકાય એમ નથી; - (સિવાય કે શકની બાબતમાં!) પણ અશ્વત્થામાં જે રીતે એને અનર્થ કરે છે તે જોવા જેવું છે. પહેલા વાક્યને તે તે ખાઈ જ જાય છે. માન્તો હિમોડાપુઃ પોતે બ્રાહ્મણ હોવા છતાં “અદાન્ત” છે તેથી અધમ છે, – એ શબ્દોને તે જાણે એ યાદ જ નથી કરતો.
આ માટે એની દલીલ એ હોઈ શકે કે એ અત્યારે બ્રાહ્મણ જ નથી. એણે ક્ષત્રિયને ધર્મ સ્વીકાર્યો છે, પણ તેપણ બીજું વાક્ય વિસ્તાર ક્ષત્રિયો અહીં શી રીતે તેણે લાગુ પાડયું હશે તે સમજાતું નથી. તેજ વગરને ક્ષત્રિય અધમ ગણાય એ ખરું, પણ ઊંઘતા શત્રુ પર આક્રમણ કરવું એમાં “તેજ' ક્યાં આવ્યું ? આ તો ઊલટી ક્ષત્રિયવટને ઝાંખપ પહોંચાડે એવી વાત થઈ.
પણ અશ્વત્થામાને ખરેખર જે પેટમાં કંઈ દુખતું હોય તો તે તેના પિતાનું મૃત્યુ ! “તારા પિતાને મારનાર હજુ જીવતે છે!” એવું મેણું દુનિયા મને મારશે ત્યારે હું શું જવાબ દઈશ? – એ એની સૌથી મોટી બળતરા છે. દુર્યોધન સમક્ષ કરેલી પ્રતિજ્ઞા, જેટલી દુર્યોધનની અંતિમ અગન ઓલવવા માટે છે, તેથી પણ વધારે તેની પોતાની આ અગન ઓલવવા માટે છે! એ અગને, એ બળતરાએ તેને વિવેકભ્રષ્ટ બનાવ્યું છે.
'!
' . ' કૃપાચાર્ય ફરી તેને સમજાવે છે: “રાત વીતી જવા દે સવારે સ્વસ્થ ચિત્તે વિચાર કર્યા પછી તું કહીશ તેમ કરીશું.” "); ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com