________________
“જે પુરુષનું સંદેહરહિત વિશાળ શાસ્ત્રજ્ઞાન હોય, મન વચન કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ હોય, બીજા ભવ્યજીવોને બોધ કરવા યોગ્ય જેનાં વિશુદ્ધ પરિણામ હોય, શ્રીમાન્ જિનેંદ્ર વીતરાગ પરમાત્માનો પવિત્ર અને પ્રાણી માત્ર હિતેષી સુખદમાર્ગ પ્રવર્તાવવાના યથાર્થ વિધિમાં ઘણો ઉદ્યમવંત હોય, અન્ય જ્ઞાનીજનોને પણ પ્રણામ કરવા યોગ્ય હોય, આશારહિત હોય, એ પ્રમાણે મહાનપણાયોગ્ય ગુણો જે પુરુષમાં હોય તે પુરુષ ઉપદેશદાતા હોઈ શકે.”
―
– શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસન ગાથા ૬.