Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 439
________________ આણાએ ધમ્મો, આણાએ તવો સંસારરાગ તોડવાનો પુરુષાર્થ ચાલુ જ રાખ્યો હતો. પ્રતિવર્ષે તેઓ કર્મ સામે પોતાનો વિજય વધારતા ગયા હતા. “અત્ર સમાધિ છે ..... અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તો ય સહન કરીએ છીએ.” (માગશર સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૦૮) “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ, અને તેમ થઈએ છીએ ..અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.” (પોષ સુદ ૭, ૧૯૪૮. આંક ૩૧૩). “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબધ્ધ જેવું છે, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (ફાગણ વદ ૦)), ૧૯૪૮. આંક ૩૪૭) “કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૬૬). “ચિત્તને વિશે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણે વર્તે છે તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું, એવી નિશ્ચળદશા માગશર સુદ છઠથી એકધારાએ વર્તતી આવી છે.” (શ્રાવણ વદ, ૧૯૪૮. આંક ૪OO). “જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયમાં વર્તે છે.” (ભાદરવા વદ ૮, ૧૯૪૮. આંક ૪૦૮). “કોઈ પણ જાતનાં અમારાં આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, સ્ત્રી જે છે તેનાથી બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે, કુટુંબ છે તેનું પૂર્વનું કરજ આપી નિવૃત્ત થવાને અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું ૪૧૩

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511