________________
પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ
અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત નથી કરતાં, અને દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મો ચાર છે – આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય.
અચેત - જીવ વિનાનું, જડ.
અચૌર્ય વ્રત - સ્થૂળથી સૂમ પ્રકારની ચોરી ન કરવી
તે અચૌર્ય વ્રત.
અજીવ - ચેતનરહિત દ્રવ્ય અથવા જડ પુદ્ગલ
પરમાણુને અજીવ કહે છે.
અણગાર ધર્મ - મુનિની ચર્યા.
ૐ - 3ૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતનું
પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શ્રી અરિહંતનો “અ”, સિદ્ધપ્રભુ એટલે અશરીરીનો “અ”, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયજીનો ‘ઉ' અને સાધુસાધ્વી અર્થાત્ મુનિનો ‘મ્' એકત્રિત થઈ (ચાર સ્વરને એક વ્યંજન સાથે ઉચ્ચારવાથી) “ઓમ્' શબ્દ બને છે. એ નાદમાં પાંચ પરમેષ્ટિ ભગવંતે ભાવેલા અને ઘૂંટીને છોડેલા કલ્યાણભાવના કેટલાયે પરમાણુઓ સમાયા હોય છે. અકામ નિર્જરા - જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવો તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી તેને નવાં અનેક કર્મો
બંધાય છે, પરિણામે તેનો સંસાર લંબાય છે. અગુરુલઘુપણું - ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકું. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. આત્મા પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે
અગુરુલઘુ ગુણ પૂર્ણતાએ પ્રગટે છે. અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - ઉપશમ
શ્રેણિ માંડેલા જીવ માટે જ આ ગુણસ્થાન છે. મોહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે અને તેનો ઉદય થવાથી જીવનું અવશ્ય પતન થાય છે અને નીચેના ગુણસ્થાને ઊતરી જાય છે.
અણુવ્રત - મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત - અહિંસા, સત્ય, અચૌર્ય, બહ્મચર્ય અને અપરિગ્રહ. અતિશય (તીર્થંકર પ્રભુના) – કેવળજ્ઞાન પ્રગટયા પછી તીર્થંકર પ્રભુને જે વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે અતિશય કહેવાય છે. અતિશય ૩૪ પ્રકારના છે.
અધઃકરણ – અધઃકરણમાં સત્તાગત અશુભ કર્મોની સ્થિતિ તથા રસ એક એક અંતર્મુહૂર્તથી ઘટતાં જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે
૪૨૯