________________
संकल्प्यं कल्पवृक्षस्य चिन्त्यं चिंतामणेरपि । असंकल्यमसंचिन्त्यं फलं धर्मादवाप्यते ।। કલ્પવૃક્ષથી તો સંકલ્પયોગ્ય એવું ફળ મળે છે, અર્થાત્ વચનથી માગીએ તો મળે, અને ચિંતામણિ-રત્નનું ચિંતવન યોગ્ય (અર્થાત્ મનથી જે ઈચ્છે તે પ્રાપ્ત થાય) ફળ છે. પરંતુ ધર્મના પસાયથી તો અસંકધ્ય અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ધર્મથી એવું કોઈ અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે કે જે સંકલ્પ અને ચિંતવનથી પણ પર છે.
- આત્માનુશાસન (ગુણભદ્રચાર્ય)
ગાથા ૨૨.