Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 480
________________ કેવળી પ્રભુનો સાથ વિનય (ગુરુ પ્રતિ) - ગુરુ (સત્પુરુષ) ના જણાવ્યા પ્રમાણે વર્તવું, તેમની આમાન્યા જાળવવી, તેમના પ્રતિ અહોભાવ તથા આદરભાવ વેદવો, તેમની જે જરૂરિયાત હોય તે પ્રજ્ઞાથી સમજી પૂરી કરવા પ્રયત્નવાન રહેવું, મીઠી શાંતભાષાથી તેમને પ્રત્યુત્તર આપવા, યોગ્ય આસને બેસવું, ગુરુએ કરેલી કરુણા માટે ઉપકારભાવ વેદવો, પોતાની ભૂલ માટે ગુરુ ઠપકો આપે ત્યારે પણ કષાયી થવું નહિ, ઇત્યાદિ વર્તના એ ગુરુ પ્રતિના વિનયને સૂચવે છે. વિનય (૫૨મ) – વિનયનું ઉત્કૃષ્ટ સ્વરૂપ તે પરમ વિનય. વિપાકોદય – વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકોદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી ભોગવાઈને ખરે તે. તેમાં નવાં કર્મબંધન થાય છે. વિભાવ - આત્મા સિવાયના, પરપદાર્થ સંબંધીના પોતાપણાના ભાવમાં રહેવું તે વિભાવ. વિવિક્ત શય્યાસન તપ - નિર્દોષ એકાંત સ્થાનમાં પ્રમાદરહિત બની, સૂવા બેસવાની પ્રવૃત્તિમાં પણ ધર્મભાવના સાચવવી એ વિવિક્ત શય્યાસન તપ છે. વિશાળબુદ્ધિ – જે વસ્તુ જે અપેક્ષાએ સમજવા યોગ્ય હોય તે અપેક્ષાએ તેને સમજીને સ્વીકારવી. વિશુદ્ધિ - વિશુદ્ધિ એટલે પવિત્રતા. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ૪૫૪ ઘાતીકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત ઘાતીકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. વિષય(વિષયસુખ) - વિષય સુખ એટલે ઇન્દ્રિયનું સુખ, પાંચ ઇન્દ્રિયો અને મનને જેનાથી શાતા લાગે તે વિષયસુખ કહેવાય છે. વીતરાગતા - વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની તિથી પર હોય છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા નથી, શુભાશુભ કર્મના ઉદયમાં તેઓ નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત રહી તે આત્મા આત્મરસમાં રમમાણ રહે છે. વીતરાગતા (૫૨મ) - પૂર્ણતાએ રાગદ્વેષરહિતપણું . વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. વેદકતા - જીવ પોતે સુખ અનુભવે છે, દુ:ખ અનુભવે છે, સુખની પ્રાપ્તિ કે દુઃખના વિયોગની ઇચ્છા કરી શકે છે તે તેનો વેદકતાનો ગુણ છે. વેદવાની શક્તિ. વેદનીય કર્મ - વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511