________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.” (ચૈત્ર સુદ ૬, ૧૯૫૧. આંક ૫૭૬)
વેપારાદિ વ્યવસાયથી છૂટવાની બળવાન ભાવના તેમનામાં આ વર્ષમાં જોવા મળે છે, સાથે સાથે વ્યવહારના પ્રસંગોમાં તેઓ ન છૂટકે જ ભાગ લેતા હતા. એવા એક પ્રસંગે તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે,
-
“આપે લખ્યું કે વિવાહના કામમાં આપ આગળથી પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી અને તેમ તેવાં કાર્યનું મહાત્મ્ય કંઈ છે નહિ એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી.” (કારતક સુદ ૧૪, ૧૯૫૧. આંક ૫૪૦)
-
આ જ વર્ષમાં તેમની બહેનનાં પણ લગ્ન થવાના હતા. તેમાં પણ ભાગ લેવાની તેમની ઇચ્છા ન હતી. પણ માતાપિતાને કે બહેનને દુઃખ ન પહોંચે તેવા શુભભાવથી, વ્યવહારશુદ્ધિ જાળવવાની બુદ્ધિથી પ્રેરાઈને તેમણે લગ્નમાં જવાનો નિર્ણય કર્યો હતો. તે વિશે તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે,
“તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી કે શકશે નહિ, કેમકે તેને ઘણો વખત છે, અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તે બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી ૨વજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તો ભાઈ બહેનને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે.” (કારતક સુદ ૧૪, ૧૯૫૧, આંક ૫૪૦)
“સર્વ વ્યવહા૨થી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહિ એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.” (માગશર વદ ૮, ૧૯૫૧, આંક ૫૪૭)
૨૮૧