________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. એ કંઈ દુઃખનાં કારણ નથી, દુ:ખનું કારણ માત્ર વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે તથાપિ બહારની અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી, પરમાનંદ ત્યાગી એને ઇચ્છે પણ કેમ ?” (બીજા ભાદરવા સુદ ૨, ૧૯૪૬, આંક ૧૩૩).
“કોઈપણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથદશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી, તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિલંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો ?” (દ્વિ.ભાદ્ર સુદ ૮, ૧૯૪૬. આંક ૧૩૪).
“ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક ‘તુંહિ તુંહિ' એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે.” (બી. ભા. વદ અમાસ, ૧૯૪૬. આંક ૧૪૪).
કૃપાળુદેવનાં આ વચનોમાં પોતાના આત્માને શુધ્ધ કરવાની વધતી જતી ઝૂરણા આપણને જોવા મળે છે. આ ઝૂરણાને કારણે તથા તેમણે કરેલા બહોળા શાસ્ત્રાભ્યાસને કારણે તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ખૂબ હળવાં થયાં હતાં, જેથી આત્માનાં છ પદની વિશેષ સ્પષ્ટતા તેમને થતી જતી હતી, ‘મોક્ષનો ઉપાય' કરવાની તેમની
૨૪૧