Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 94
________________ કમસ્તવ ઉદય અધિકાર હવે ઉદય અને ઉદીરણાની વ્યાખ્યા કહીને ઓથે અને મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે જણાવે છે उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । सतरसय मिच्छे मीससम्मआहारजिणणुदया ॥ १३॥ (उदयो विपाकवेदनमुदीरणमप्राप्त इह द्वाविंशतिशतम् । सप्तदशशतं मिथ्यात्वे मिश्रसम्यगाहारकजिनानुदयात्) શબ્દાર્થ- ૩ = ઉદય વવાય = વિપાકથી વેદવું તે, ૩ીર = ઉદીરણા આપત્તિ = અપ્રાપ્ત-ઉદયમાં ન આવેલ કર્મોને, રૂઢ = અહીં, કુવીરસર્ચ = એકસી બાવીશ પ્રકૃતિઓ, સંતરયં= એકસો સત્તર પ્રવૃતિઓ, fછે = મિથ્યાત્વ ગુણઠાણે, નીમ્ન = મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય, સાદાઈનન = આહારકઢિક, અને જિન નામકર્મનો, અનુયા = અનુદય હોવાથી. ગાથાર્થ- પૂર્વબદ્ધ કર્મને વિપાકથી વેદવું તે ઉદય, અને ઉદયકાલને ન પામેલા કર્મોને પ્રયત્ન વિશેષથી વહેલાં ભોગવવાં તે ઉદીરણા, ઉદયમાં ઓધે ૧૨૨ પ્રકૃતિઓ છે. તેમાંથી મિશ્ર, સમ્યકત્વમોહનીય, આહારદ્રિક, અને તીર્થકર નામકર્મ એમ પાંચ કર્મનો મિથ્યાત્વે અનુદય હોવાથી ત્યાં ૧૧૭ છે. તે ૧૩ || વિવેચન- પૂર્વે બાંધેલાં અને વિપાકકાળને પામેલાં કર્મદલિકોને વિપાકથી (રસોદયથી) ભોગવવાં તે ઉદય કહેવાય છે. જે કર્મ જે ભાવે ફળ આપવા માટે પૂર્વે બાંધ્યું હોય, તે કર્મને તે ફળરૂપે તેનો ઉદયકાળ આવે છતે ભોગવવું તે ઉદય કહેવાય છે. અથવા સંક્રમાદિ દ્વારા પ્રાપ્ત કર્મને પણ રસોઇયથી ભોગવવું તેને પણ ઉદય કહેવાય છે. જે કર્મનો ઉદયકાળ હજા પાક્યો ન હોય તેને ઉદીરણાકરણ નામના વીર્યવિશેષ વડે ઉદયાવલિકામાં લાવીને વહેલું રસોદયથી ભોગવવું તેને ઉદીરણા કહેવાય છે. ઉદય અને ઉદીરણા એમ બન્નેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180