Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 110
________________ કસ્તવ ૧૦૯ ૫૫ માંથી ૧૪ જાય તો ૪૧ નો ઉદય થવો જોઇએ પરંતુ તેમા ગુણઠાણે તીર્થંકર ભગવન્તો કેવળજ્ઞાન પામે છે ત્યારે તીર્થકરનામ કર્મનો ઉદય શરૂ થાય છે. જે આગળની ગાથામાં કહેવામાં આવશે, તે ઉમેરતાં કુલ ૪૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. આ ૪રમાં ઘાતકર્મ ચારે નાશ પામેલ હોવાથી માત્ર ચાર અઘાતીનો જ ઉદય હોય છે. વેદનીય ૨, આયુષ્ય ૧, નામકર્મ ૩૮, અને ગોત્રકમ ૧ એમ ૪૨ નો ઉદય તેરમે ગુણઠાણે હોય છે. જે ર૦ || तित्थुदया उरलाथिर-खगइदुग-परित्ततिग-छ-संठाणा । अगुरुलहुवन्नचउ-निमिण-तेयकम्माइसंघयणं ॥ २१ ॥ (तीर्थोदयादौदारिकास्थिरखगतिविकप्रत्येकत्रिकषट्संस्थानानि । अगुरुलघुवर्णचतुष्क-निर्माणतेजः कर्मादि संहननम्) શબ્દાર્થ= તિસ્થય = તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી, ૩રત્નાથાદુ = ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પરિતિક =પ્રત્યેકત્રિક, સંતાપ = છ સંસ્થાન,મયુરધુવન૩ = અગુરુલઘુચતુષ્ક અને વર્ણ ચતુષ્ક, નિખ = નિમાર્ણનામકર્મ, તૈયારૂäથયાં = તૈજસ-કાર્પણ અને પ્રથમસંઘયણ. ગાથાર્થ તીર્થકર નામકર્મનો ઉદય ઉમેરવાથી તેરમે ૪રનો ઉદય થાય છે. તેરમાના ચરમ સમયે ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પ્રત્યકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ તેજસ, કાર્મણ, તથા પ્રથમ સંઘયણ વગેરે આગળની ગાથામાં જણાવે છે તે સાથે ૩૦ નો ઉદયવિચ્છેદ થાય છે). | ૨૧ || વિવેચન- બારમા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ અંતરાય પાંચ અને દર્શનાવરણીય ૪ એમ કુલ ૧૪ નો ઉદયવિચ્છેદ થાય છે પરંતુ તીર્થંકર નામકર્મને ઉદય (તીર્થકર ભગવત્તાના આત્માને) શરૂ થાય છે માટે ૧૪ ઓછી કરતાં અને એક ઉમેરતાં તેરમે ગુણઠાણે કુલ ૪ર પ્રકૃતિઓનો ઉદય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180