Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 149
________________ ૧૪૮ (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અહીં ઉપશમ, ક્ષયોપશમ, તથા ક્ષાયિક એમ ત્રિવિધ સમ્યક્ત્વ હોય છે. ત્યાં ઉપશમ સમ્યક્ત્વવાળાને દર્શનત્રિકનો નિયમા ઉપશમ હોય છે અને અનંતાનુબંધી ૪ નો અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઉપશમ પામે ત્યારે ક્ષયોપશમ અને શ્રેણીમાં વિસંયોજના અથવા ઉપશમ હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શન સપ્તકનો નિયમા ક્ષય હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો જીવ સમ્યક્ત્વ મોહનીયનો વૈદક જ હોય છે. અનંતાનુબંધીના ક્ષયોપશમવાળો, વિસંયોજનાવાળો, અથવા ક્ષાયિક પામતાં ક્ષયવાળો પણ હોય છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષયોપશમ અથવા ક્ષય હોય છે. તેથી (૧) ઉપશમવાળાને ૨૮૨૪, ક્ષાયિકવાળાને ૨૧, અને ક્ષયોપશમવાળાને ૨૮/૨૪|૨૩૨૨૨ ની સત્તા હોય છે. દ્વિતીય કર્મગ્રંથ નામકર્મમાં ૯૩૯૨૮૯૮૮ એમ ચાર સત્તાસ્થાનક હોઇ શકે છે. સાતમે જઇ આહારક બાંધીને આવનારને તે સત્તામાં હોય, અન્યને ન હોય, સત્તામાં જિનનામ પણ ચોથે સર્વને બંધાતું નથી, જેને બંધાય તેને હોય, અને ન બંધાય તેને ન હોય, તેથી ઉપર મુજબ ચાર સત્તા સંભવે છે. આયુષ્યકર્મમાં સર્વત્ર વિજાતીય બદ્ધાયુને બે, અને સજાતીય બદ્ધાયુને તથા અબદ્ઘાયુને ફક્ત એક જ આયુષ્યની સત્તા હોય છે. તેથી આઠ કર્મોની સત્તા આ પ્રમાણે બને છે. (જુઓ કોષ્ટક પૃષ્ઠ ૧૨૩૧૨૪૧૨૫) આ પ્રમાણે ચોથે ગુણઠાણે ૧૩૩ થી ૧૪૬ સુધીનાં ૧૪૩ વિના કુલ ૧૩ સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક પામતા જીવો મનુષ્ય જ હોય છે તેને પૂર્વે જુદા જુદા ચારે આયુષ્ય બાંધેલાં હોઇ શકે છે. અથવા અબદ્ધાયુ પણ હોઇ શકે છે. પરંતુ જિનનામની સત્તાવાળાને જો આયુષ્ય બાંધેલું હોય તો દેવ અથવા નરકનું જ બાંધેલું હોય છે. સજાતીય બાંધેલું સંભવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180