Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 171
________________ ૧૭) દ્વિતીય કર્મગ્રંથ થાય છે, એમ પાઠ આવે છે. એટલે ત્રણે સંઘયણ ઘટી શકે છે. જુઓ પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા-૯૨. (૪૧) પ્રશ્ન- સાતમાં ગુણસ્થાનકથી ઉદીરણામાં બે વેદનીય અને એક મનુષ્યાયુષ્ય ઓછુ કરવાનું કહો છો. તો સર્વત્ર ઉદયસમાના ઉદીરણા છે. અને અહીં આ પ્રમાણે કેમ ? આ ત્રણની ઉદીરણા ન હોવાનું કારણ શું ? ઉત્તર- તેની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોનો અભાવ એ જ કારણ જણાય છે બીજો કોઇ હેતુ જાણવા મળેલ નથી. (૪૨) પ્રશ્ન- ચૌદમે ગુણઠાણે ઉદય હોવા છતાં પણ ઉદીરણા કેમ ન હોય? ઉત્તર- ઉદીરણા એ આઠ કરણોમાંનું ૧ કરણ છે. અને કરણ એ યોગાત્મક વીર્યવિશેષ છે. અને ચૌદમે ગુણઠાણે યોગ નથી માટે ઉદીરણા નથી. (૪૩) પ્રશ્ન- સત્તાના અર્થમાં “વન્યારું સંદ્ધનામા' બલ્વાદિ વડે પ્રાપ્ત કર્યો છે આત્મલાભ જેમણે એવો અર્થ આવે છે ત્યાં આત્મલાભ એટલે શું? અને બંધાદિમાં આદિ શબ્દથી શું સમજવું? ઉત્તર- બંધાદિમાં આદિ શબ્દથી સંક્રમ-ઉદ્વર્તના-અપવર્તના આદિ કરણો સમજવાં. આ બંધ વડે અથવા સંક્રમાદિ કરણો વડે પ્રાપ્ત કર્યો છે એટલે મેળવ્યું છે આત્મલાભ એટલે કર્મપણું જેમાં, જે જે કાર્પણ વર્ગણાઓમાં ‘‘કર્મપણું'' પ્રાપ્ત થયું છે. તેને સત્તા કહેવાય છે. (૪૪) પ્રશ્ન- જિનનામકર્મ જેવું વિશિષ્ટ પુણ્યકર્મ જો બીજે-ત્રીજે ગુણઠાણે સત્તામાં ન હોય તો પહેલે ગુણઠાણે તેની સત્તા કેમ હોય ? ઉત્તર- સામાન્યથી પહેલા ગુણઠાણે પણ જિનનામકર્મની સત્તા હોતી. નથી જ. તથાપિ પૂર્વે જેણે નરકાયુષ્ય બાંધ્યું હોય એવો જીવ યોપશમ સમ્યકત્વ પામી જે જિનનામકર્મને બાંધે તો તેને નરકમાં જતાં અંતર્મુહૂર્ત માસ પહેલા ગુણઠાણે જિનનામકર્મની સત્તા અવશ્ય હોય છે કારણકે ક્ષયોપશમ, સખ્યત્વ લઇને નરકમાં જવાતું નથી અને નરકાયુષ્ય બાંધેલું હોવાથી નરકમાં જવાનું આવશ્યક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180