Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 114
________________ આ હરર- હા, આ મહાવીર કસ્તવ ૧૧૩ કેવલજ્ઞાન થયું અને કેવલજ્ઞાન થયા પછી પણ અસાતા ચાલુ રહી. એમ જાણવું. તેથી કેવલી ભગવત્તાને પણ અઘાતી એવી સાતા-અસાતા બન્નનો ઉદય હોઇ શકે છે. તથા સાતા-અસાતા જીવવિપાકી પ્રકૃતિ હોવાથી શરીર નામકર્મનો ઉદય ન હોવા છતાં પણ ચૌદમે ગુણઠાણે ઉદયમાં હોઇ શકે છે. પ્રશ્ન- સામાન્ય કેવલી ભગવન્તોને અસાતાનો ઉદય ઉપરના દૃષ્ટાન્તથી હજુ માનવામાં આવે છે. પરંતુ તીર્થકર કેવલી ભગવન્તોને આ ૧૩-૧૪ મા ગુણઠાણે શું અસાતાનો ઉદય હોઈ શકે ? ઉત્તર- હા, અઘાતી હોવાતી અસાતાનો પણ ઉદય હોઈ શકે, જેમ કે ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામીને ગોશાળાએ તેજોવેશ્યા મુકવાથી છ માસ શરીર રોગગ્રસ્ત રહ્યું તે કાળે કેવલી હોતે છતે અસાતાનો ઉદય ઘટી શકે છે. બહુધા સાતા જ ઉદયમાં હોય છે. પરંતુ અસતાનો ઉદય ન જ હોય એમ ન જાણવું. પ્રશ્ન- ચૌદમે ગુણઠાણે શરીર-અંગોપાંગ નામકર્મનો ઉદય નથી તો ત્રસ-બાદર-પર્યાપ્ત-આદિ નામકર્મનો ઉદય કેમ સંભવે ? ઉત્તર- આ બાર પ્રકૃતિઓ “જીવવિપાકી” છે જીવને ફળ આપનારી છે એટલે ચૌદમે ઉદયમાં હોય છે. શરીર નામકર્મનો ઉદય નથી, એટલે ગમનાગમન નથી. પરંતુ ગમનાગમનની ત્રસનામકર્મના ઉદયથી મળેલી લબ્ધિ આત્મવિષયક હોવાથી ચૌદમે ત્રસનામકર્મનો ઉદય અને તજજન્ય લબ્ધિ હોય છે. એમ બારે પ્રકૃતિમાં સમજવું. પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો જ ઉદય અટકે છે જેમ વિગ્રહગતિમાં શરીર નથી શરીરનામકર્મનો ઉદય નથી, છતાં આ પ્રકૃતિઓ જીવવિપાકી હોવાથી ઉદયમાં ચાલુ જ હોય છે. ઇત્યાદિ સુયુક્તિઓ વિદ્વાન પુરુષોએ જોડવી. ઉદીરણા ઉદયની જેમ જ છે. અર્થાત્ જે જે ગુણઠાણે જે જે કર્મની જેટલી જેટલી પ્રકૃતિઓ ઉદયમાં કહી છે તે તે ગુણઠાણે તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180