Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 128
________________ ૧૧૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય છે. પણ હવે તે ણે ભાગે લેાકા રેલ્વેના લાભ જ લે છે. પગે ચાલનારાં ચેડાં જ નીકળે છે. જગન્નાથના રથની ઉંચાઈ ૪૫ ીટની છે અને તેને ૧૬ ચક્ર ( પૈડાં ) છે. સુભદ્રા અને અલભદ્રના રથા જૂદા છે અને તેમ એના કરતાં કાંઈક નાના છે. જે સમયે મૂત્તિઓને મંદિરમાંથી ખહાર લાવીને રથમાં પધરાવવામાં આવે છે, તે સમયે સહસ્રાધિ મનુષ્યા ભૂમિએ પડીને તેમને દંડવત્ પ્રણામ કરવા મંડી પડે છે. લેાકેાના સાગર સમાન વિશાળ સમૂહ એકાએક જગન્નાથના જયધ્વતિના ઉચ્ચાર કરે છે, ધક્કા ધક્કી થવા માંડે છે અને મહાન ભવન જેવા રથને લેાકા રાજમાર્ગમાં ચલાવીને જગન્નાથના વિહારસ્થાન પ્રતિ ધસડી જાય છે. રથના આગળના અને પાછળના ભાગમાં રણુશૃંગ, મૃદંગ અને નગારાં આદિના ગગનભેદક ધ્વનિ એકસમયાવચ્છેદે સર્વત્ર વ્યાપી જાય છે. રથ હાંકનારાએ શરીર અને મુખમંડળના વિચિત્ર હાવભાવપૂર્વક લેાકાના મનેારંજન માટે અનેક પ્રકારનાં અસભ્ય ગાયના ગાવા માંડે છે. લાકા નૃત્ય કરતા, ગાતા, તાળીએ વગાડતા, મા પાડતા ને એવા ખીજા પણ અનેક જાતિના ચેનચાળા કરતા આગળ આગળ માર્ગ કાપત્તા જાય છે. મંદિરથી એક માઇલ કરતાં કાંઇક ન્યૂન અંતરે જગન્નાથનું વિહારસ્થાન આવેલું છે; પરંતુ મહાન રથનાં ચક્રાવાલુકામાં પેસી જતાં હાવાથી એટલા પ્રવાસને પણ કેટલાક દિવસા વીતી જાય છે. વિહારસદનમાં રથ પહોંચે, તેટલામાં યાત્રાળુઓની સાહસશક્તિ પ્રયાણ કરી જાય છે અને જનસમૂહ આછે. થતા જાય છે. ખાસ રથ ખેંચવામાટે રાખેલા ૪૨૦૦ મનુષ્યા અંતે રથને ધારેલે સ્થાને પહોંચાડે છે. જગન્નાથની સેવા કરનારા નાની માટી પદવીના બધા મળીને ૭૦૦ પંડ્યા છે, એવી ગણના કરવામાં આવી છે. એ પથામાંના કેટલાક પુરીમાં રહે છે અને કેટલાકા વારા ફરતી અન્ય દેશેામાં યાત્રાળુઓને લઈ આવવા માટે પ્રવાસક કરે છે. તેઓ યાત્રાળુઆને એવા ઉપદેશ આપે છે કે, “ પુરી તે સ્વર્ગદ્વાર છે અને તેની એકવાર યાત્રા કરવાથી સર્વ પ્રકારના મનારથી સફળ થઈ શકે છે. આ મૂર્તિનાં દર્શન કરવાથી વંધ્યાને પુત્ર થાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે.” ત્યાંના પંડ્યાનું એમ પણ કહેવું છે કે, “પુરીની આસપાસની સધળી ભૂમિ સુવર્ણથી ભરેલી છે, પણ કલિયુગના પ્રભાવથી તે વાલુકા જ દેખાય છે.” કેટલીક વાર સ્ત્રી એકલી પણ યાત્રાએ નીકળી પડે છે, પણ તેમને ઘણી જ વિડંબના વેઠવી પડે છે. tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224