Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 452
________________ મહાવ્રતોમાં અતિચારે, અતિક્રમાદિનું સ્વરૂપ અને પંચાચાર પાલન વિગેરે) ૩૯૧ સાહાર નિમંતા-મુળમાળ ગામો હો. મેવાડું રૂમ, હિપ તરત જાિ ” થવપરિ–ા-કરૂા. વ્યાખ્યા-“આધાકર્મષથી દૂષિત વસ્તુને આપવા વિનંતિ કરતા દાતારની વિનંતિ સાંભળે તે માટે તૈયારી કરતે યાવત્ ઉપયોગને કાયોત્સર્ગ વિગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દેષ ગણાય, ત્યાં જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ ગણાય, આધાર્મિક વસ્તુ ગ્રહણ કરે અને ઉપલક્ષણથી ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવે, ગુરૂની સમક્ષ આલોચના કરે, ભેજન માટે બેસીને મુખમાં તે વસ્તુ નાખે (ગળે ઉતારે નહિ) ત્યાં સુધી અતિચાર નામને ત્રીજે દેષ ગણાય અને ગળે ઉતારે ત્યારે ચોથે અનાચાર કર્યો ગણાય. એ પ્રમાણે મૂળગુણામાં અને ઉત્તરગુણેમાં અતિક્રમાદિ દેષની ઘટના સ્વયમેવ કરવી. અહિં આ પ્રમાણે વિવેક કર-મૂલગુણેમાં અતિક્રમાદિ ત્રણ દેશે લાગવાથી ચારિત્રમાં મલિનતા સમજવી, તેથી “આલેચના-પ્રતિક્રમણ’ વિગેરે પ્રાયશ્ચિત્તોથી તેની શુદ્ધિ થઈ શકે, ચોથા અનાચારથી તે ગુણને ભંગ થાય, માટે અનાચાર દેષ લાગે તે એ ગુણની પુનઃ ઉપસ્થાપના કરવી યોગ્ય છે. ઉત્તરગુણોમાં તો અતિક્રમાદિ ચારે ય દોષ લાગવા છતાં ચારિત્રની મલિનતાજ કહી છે, ભંગ કહ્યો નથી,(અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય) એ મૂલ–ઉત્તરગુણના અતિચારે કહ્યા.૬૬ ર૬૬-અતિચારને સામાન્ય અર્થ “અતિચરણ” અર્થાત્ “મર્યાદાથી આગળ વધવું એવો થાય છે. કોઈ પણ વ્રત-નિયમાદિ જીવનની અમુક મર્યાદારૂપ હોય છે, તે મર્યાદાનું ચોક્કસ પાલન કરવાથી જ વ્રત-નિયમાદિ અનુષ્ઠાને જીવને ગુણવિકાસમાં કે દેશના નાશમાં સહાયક બને છે. લૌકિક જીવનમાં પણ સુખ મેળવવા કે દુઃખથી બચવા માટે વિવિધ મર્યાદાઓનાં બધાને સહર્ષ સ્વીકારનારને “લોકોત્તર (આત્મ)જીવનના વિકાસ માટે વિવિધ મર્યાદા રૂપ વ્રત-નિયમાદિ આવશ્યક છે' એમ સમજવું કઠિન નથી. મર્યાદાને સ્વીકાર જેટલો દુષ્કર છે તેનાથી તેનું પાલન ઘણું દુષ્કર છે, માટે જ વ્રતાદિ સ્વીકાર્યા પછી અનિચ્છાએ પણ અતિચારે લાગવાને સમ્ભવ છે. એ કારણે અમાથએ અતિચારેને ઓળખવા જોઈએ અને તેનાથી બચવા સતત જાગૃતિ કેળવવી જોઈએ. છસ્થ જીવને ઉપગ મૂકવાથી અતિચાર લાગી જાય કે અનાદિ મહાદિની વાસનાથી ઉપયોગપૂર્વક પણ અતિક્રમાદિ સેવાઈ જાય એ અસંમ્ભવિત તે પણ તેની શુદ્ધિ માટે શીઘતયા આલોચનાદિ કરવું જોઈએ. તત્કાલ શુદ્ધિને ઉપાય કરવાથી અદ્ધિ ટળી જાય છે અને વિલમ્બ કરવાથી કે શુદ્ધિ નહિ કરવાથી રોગની જેમ તે ઘાતક નીવડે છે. પ્રાથમિક સામાન્ય રાગની જેમ દેખાવમાં કે માન્યતામાં અતિચારે બહુ નાના-સામાન્યદેષરૂપ હોય છે તે પણ પરિણામે તેનામાં વ્રતાદિને નાશ કરવાની શક્તિ છૂપાએલી હેાય છે. કૃદ્ધિમાં વિલમ્બ થાય કે અતિચારાનું પ્રમાણ વધી જાય તે પછી તેને દૂર કરવા કઠિન બને છે. એ કારણે જ સાધુ અને શ્રાવક ઉભયને એક દિવસમાં બે વાર પ્રતિક્રમણ કરવાનું વિધાન છે, વાસ્તવમાં તે અતિચાર સેવાઈ જાય ત્યારે જ તુર્ત એની શુદ્ધિ કરી લેવી જોઈએ, ઉપરાન્ત પ્રતિક્રમણ કરીને વિશેષ શુદ્ધિ કરવી જોઈએ. અનશન, ઉદરિતા વિગેરે બાહ્યતા છે અને અતિચારેની શુદ્ધિ કરવારૂપ પ્રાયશ્ચિત્ત વિગેરે અભ્યન્તર તપ છે, એ વિચારતાં સમજાશે કે પ્રાયશ્ચિત્ત દુષ્કર છે. માસક્ષપણ જે આકરે તપ કરી શકે, એનાથી પણ શુદ્ધ-વિધિપૂર્વક અતિચારેની શુદ્ધિ થવી દુષ્કર છે, એનું ફળ પણ મહાનું છે. એટલું જ નહિ, અતિચારની શુદ્ધિ વિના સેવેલાં આકરાં પણ અનુષ્કાને આત્માને હિત કરવામાં અસમર્થ બને છે, કેવળ દેહદમનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598